E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratBANASKANTHA : ડીડીઓ દ્વારા ટીડીઓને સફાઇ બાબતે ધ્યાન દોરતાં નઘરોળ પંચાયતના સત્તાધીશો...

BANASKANTHA : ડીડીઓ દ્વારા ટીડીઓને સફાઇ બાબતે ધ્યાન દોરતાં નઘરોળ પંચાયતના સત્તાધીશો દોડતા થયાં..

બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા મથકે ઉત્તર ગુજરાત ની સૌથી મોટી આર્યુવૈદિક હોસ્પિટલ આવેલી છે.જેમા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતને અડીને આવેલા રાજસ્થાન માં થી પણ સારવાર માટે લોકો આવતાં હોય છે.હોસ્પીટલમા ચાલતી સેવાઓ બાબતે બનાસકાંઠા ડીડીઓ મુલાકાત લેવામાં આવી હતી.અને હોસ્પિટલ નું નિરીક્ષણ કરાયું હતું.હોસ્પીટલની સેવાઓ ને લઇને ડીડીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.પરંતુ આર્યુવૈદિક હોસ્પિટલ ના ગેટ ની બાજુ માં જ ખડકાયેલા કચરાના ઢગ અને ગંદકી ને લઇને વડગામ ટીડીઓને જાણ કરાતા ટીડીઓએ તાત્કાલિક નઘરોળ પંચાયતના સત્તાધીશોને ઢંઢોળતા પંચાયતના સત્તાધીશો હરકતમાં આવી જઇને આખરે કચરાના ઢગ ને દુર કરાવા માટે સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી.વારંવાર હોસ્પિટલ ના અધ્યક્ષ દ્વારા સફાઇ બાબતે ધ્યાન દોરવા છતાં નઘરોળ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી પંચાયતના વહીવટ થી સમગ્ર ગામજનો તોબા પોકારી ઉઠ્યા છે.ગામના ચોરે ને ચૌટે કચરાના ઢગ ખડકાયેલા રહેતા હોય છે છતાં પણ પંચાયત ને સફાઇ કરવાની ફુરસદ જ મળતી ન હોવાના આક્ષેપ ગ્રામજનોમાં થઇ રહ્યા છે.


વડગામ સરકારી દવાખાનાની પાછળ બાદરગઢ જવાના રસ્તા પાસે તાલુકા હેલ્થ ઓફિસર ની કચેરી પાસે જ કચરાનો ખડકલો ખડકાય છે જે હેલ્થ ઓફિસર ને જ દેખાતો નથી.તો આરોગ્ય બાબતે શું દેખરેખ રખાતી હશે તેવા સવાલો લોકોમાં થઈ રહ્યા છે.

REPORTER : દિપક પુરબિયા વડગામ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments