HomeGujaratVadodaraBaroda : કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી...

Baroda : કારેલીબાગ વિસ્તારની સ્કૂલમાં પરીક્ષા બાદ વિધાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો

હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સાવ નાની બાબતમાં હિંસક બનીને મારા મારી પર ઉતરી આવતા હોય છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય મંદિર સ્કૂલમાં શનિવારે પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરાવતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ધક્કો વાગી જવાના કારણે કે પછી બેગ લેવાના બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી મારામારી શરૂ થઈ હતી .આ દરમિયાન ગેટ પાસેથી પસાર થઈ રહેલો શાળાનો અન્ય એક વિદ્યાર્થી છોડાવવા માટે વચ્ચે પડતા તેને ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓ ચાકુ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દીધું હતું .જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો. એ પછી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને વિદ્યાર્થીને સ્થળ પર સારવાર અપાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments