HomeGujaratVadodaraBaroda : વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન...

Baroda : વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો

વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લામાં ઘરના વડીલની હત્યાનો એક આરોપી જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે.બોડેલીના ખાડિયા ગામે રહેતો પ્રવીણ અર્જુન તડવીએ ગઈ 23-2-2013 ના રોજ મિલકતનો ભાગ માગી તેના પરિવારના વડીલની હત્યા કરી હતી. જેમાં કેસ ચાલી જતા કોર્ટે આજીવન કેદની સજા કરી હતી.

ગઈ તા.12-3-2026 ના રોજ પ્રવીણને દસ દિવસના વચગાળા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે હાજર નહીં થતાં જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી તેના વતનમાં હોવાની વિગતો મળતા બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી તેને ઝડપી પાડી કોર્ટને સોંપવા તજવીજ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments