ન્યાય, ધર્મ અને સમર્પણની પ્રતિમૂર્તિ મહારાણી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. માર્ગ પર ઉપસ્થિત નાગરિકોએ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, શહેર પ્રમુખ જતીન શાહ, દિવ્યેશ પટેલ સહિત અન્ય પદાધિકારીઓએ હાજરી આપી હતી.
Reporter : કેતન મહેતા, ભરૂચ