ભરૂચની ગાયત્રીનગર સોસાયટીમાં જલારામ મંદિર પાસે વિજકંપનીએ નવો વીજપોલ તો નાંખ્યો, પણ નવો વીજપોલ બે જ દિવસમાં વરસાદી પાણીમાં નમી જઈ પડી જવા જેવો થઈ ગયો છે. આ અંગે વીજ કંપનીમાં જાણ કરવા છતાં વીજ કંપની તરફથી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવી નથી. તો વીજ કંપની આ વીજપોલ ભારે પવન અને ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહીમાં શોર્ટ-સર્કિટ થઈ કોઈ જાનહાનિ કે નુકશાન થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કામમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.