કેતન મહેતા ભરૂચપો.ઇન્સ.એ.કે.જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો ભરૂચ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે દાહોદના ગરબાડા ખાતે તપાસમાં ગયેલ હતા. તે સમય દરમ્યાન મળેલ બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અંકલેશ્વર શહેર “એ”ડીવી. પો.સ્ટે. નોંધાયેલ ઇ.પી.કો. કલમ મુજબના ગુનાના કામે નાસતા ફરતા મહીલા બહેન લીલાબેન ઉર્ફે મિન્દીબેન W/O સુરેશભાઇ ઉર્ફે સુકિયાભાઇ દેહદા ઉર્ફે ભાભોર (રહે.દેવધા,નિશાળ ફળિયું, તા.ગરબાડા, જી.દાહોદ.) નાઓને દાહોદના ગરબાડા ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર શહેર “એ” ડીવી.પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.