E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratDahod : મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની મુશકેલીમાં વધારો

Dahod : મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની મુશકેલીમાં વધારો

છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય બનેલા દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની મુશકેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. એક કેસમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં તેમના નાના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. અને હાલ તે રિમાન્ડ પર જ છે. આજે હવે બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડ જે જામીન પર બહાર આવેલા હતા, તેની આજે ફરી ધરપકડ કરવામાં આવી છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ભાણપુર ગામે મનરેગા યોજના હેઠળ 33 લાખ રૂપિયાના કૌભાંડની ફરિયાદ નોંધાવી છે, જેમાં બળવંત ખાબડની માલિકીની રાજ ટ્રેડર્સ એજન્સી પર ગેરરીતિના ગંભીર આરોપો લાગ્યા છે. ફરી બંને ભાઈઓની પોલીસે ધરપકડ કરી લેતા બંનેની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં કૌભાંડની એક બાદ એક કડીઓ બહાર આવી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે હજુ આ કેસમાં શું નવું બહાર આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments