ગોવિંદા અને સુનિતાના સંબંધોમાં કડવાશ હોવાની અટકળો વધી રહી હોય તેવું લાગે છે. શરૂઆતમાં નિતાએ સ્પષ્ટતા કરી હતી કે તે ગોવિંદાથી અલગ થઈ રહી નથી, પરંતુ તે પછી પણ તે કંઈક એવું કહેતી રહે છે જેનાથી તેમના સંબંધોમાં તણાવ હોવાની અટકળો ફેલાઈ રહી છે.
સુનિતા આહુજા અને ગોવિંદાના લગ્ન છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદોમાં છે. વર્ષની શરૂઆતમાં સુનિતા આહુજાએ કેટલીક કોમેન્ટ કરી હતી જેનાથી એવી અટકળો શરૂ થઈ હતી કે તેમના અને ગોવિંદા વચ્ચે કંઈક ખોટું ચાલી રહ્યું છે.
આ ચર્ચાઓ વચ્ચે છૂટાછેડાની ચર્ચાઓ પણ વેગ પકડવા લાગી અને તાજેતરમાં ગોવિંદાના અફેરની ચર્ચાઓ પણ તેજ થઈ. શરૂઆતમાં સુનિતા આહુજાએ આ બધી ચર્ચાઓ નકારી હતી, પરંતુ અન્ય બાબતોનો પણ સંકેત આપ્યો છે. હવે સુનિતા આહુજા કહે છે કે 2025 તેમના માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું છે.

મીડિયા સાથે વાત કરતાં સુનિતા આહુજાએ કહ્યું કે ગોવિંદાની આસપાસના વિવાદોને કારણે 2025 તેમના માટે મુશ્કેલ વર્ષ હતું. તેને કહ્યું કે “હું 2025 ને મારા માટે સૌથી ખરાબ વર્ષ માનું છું. આનું કારણ એ છે કે આ વર્ષે હું ગોવિંદાના એક છોકરી સાથેના અફેર વિશે સાંભળી રહી છું અને હું જાણું છું કે તે એક્ટ્રેસ નથી કારણ કે એક્ટ્રેસ આવા ખરાબ કામો કરતી નથી. તે ગોવિંદાને પ્રેમ કરતી નથી, તે ફક્ત તેના પૈસા માગે છે.”2025માં પોતાના અનુભવોની ચર્ચા કર્યા પછી, સુનિતાએ આગામી વર્ષ વિશે પણ વાત કરી. તેને કહ્યું કે “હું 2026માં મારા જીવનમાં પરિવર્તન ઈચ્છું છું. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે ગોવિંદા આ બધા વિવાદોનો અંત લાવે અને તેનો અંત આવે. હું નવા વર્ષમાં એક સુખી પરિવાર ઈચ્છું છું.”
સુનિતા આહુજાએ વધુમાં કહ્યું કે “તેને આશા છે કે ગોવિંદાને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે તેના જીવનમાં ફક્ત ત્રણ સ્ત્રીઓ જ મહત્વપૂર્ણ છે: તેની માતા, તેની પત્ની અને તેની પુત્રી. તેને હવે તેના જીવનમાં ચોથી સ્ત્રી રાખવાનો અધિકાર નથી.” સુનિતાએ એમ પણ કહ્યું કે તે ઈચ્છે છે કે ગોવિંદા તેની આસપાસના લોકોથી દૂર રહે જે તેને સાચા અને ખોટાને સમજવાથી રોકે છે. “ચિચીએ તેના બધા ફેન્સ છોડી દેવા જોઈએ અને ફક્ત તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે તેઓ પણ ફક્ત પૈસા માટે તેની સાથે છે.”


