મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી છે. તે દિલજીત દોસાંઝ સાથે ફરી કામ કરશે તેમજ વેદાંગ રૈના અને શરવરી વાઘ પણ તેની ફિલ્મનો હિસ્સો હશે. આ ફિલ્મ ભારતના વિભાજન પર આધારિત એક પીરિયડ જ્રામા છે. જેમાં વૈંદાત રૈના અને શરવરી પ્રેમીઓના રોલમાં જોવા મળશે, જેમની જિંદગી વિભાજન પછી હાલ-બેહાલ થઇ જાય છે. નસીરૂદીન શાહ અભિનિત આ ફિલ્મ પંજાબ પર સેટ છે. એક સૂત્રે જણાવ્યું હતું કે, ૧૯૪૦ના દાયકામાં સેટ કરેલી આ ફિલ્મમાંના બે પ્રેમીઓ વિભાજન પછી છૂટા પડી જતા હોય છે. ઇમ્તિયાઝ અલી ફિલ્મમાંની બે મુખ્ય ભૂમિકાઓ માટે બે મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યો છે.
આ ફિલ્મ અલગ-અલગ પેઢીોના પરિવારોની આસપાસ ફરતી જોવા મળશે, વૈંદાંગ અને શરવરીએ પોતાના લુક ટેસ્ટ આપી દીધા છે. ઇમ્તિયાઝે જણાવ્યું હતું હતું કે, આ એક રોમેન્ટિક ફિલ્મ હોવાની સાથેસાથે દેશ સાથે પણ જોડાયેલી છે. આવતા વરસે આ ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે.