ભૂમિ સતીશ પેડનેકર તેની આગામી શ્રેણી, દલદલ માં તેના ગંભીર અને મજબૂત પાત્રમાં પાછા ફરવા માટે તૈયાર છે. તાજેતરમાં, તેણીએ પ્રોજેક્ટ વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરી.ભૂમિએ સમજાવ્યું કે તેના પાત્ર, ડીસીપી રીટા ફરેરાની લાગણીઓને સમજવામાં કેવી રીતે ઊંડાણપૂર્વક ડૂબકી લગાવી. અભિનેત્રીએ નિર્માતા સુરેશ ત્રિવેણી સાથે ઘણી સ્વસ્થ અને રસપ્રદ ચર્ચાઓ પણ કરી, કારણ કે રીટા શાંત, સંયમિત વ્યક્તિત્વ ધરાવે છે.
આ શ્રેણી વિશ ધામિજાના બેસ્ટ સેલિંગ પુસ્તક, ‘ભેંડી બજાર’ પર આધારિત છે. ભૂમિએ દલદલની સ્ક્રિપ્ટ વાંચતી વખતે પહેલી પ્રતિક્રિયા શેર કરી. ભૂમીએ કહ્યું કે રીટાના તીવ્ર ભાવનાત્મક સ્વભાવને સમજવું મુશ્કેલ હતું. આ કારણે, આ પાત્રને સંપૂર્ણ રીતે સમજવામાં 4-5 મહિના લાગ્યા. આ સમય દરમિયાન, રીટાના વ્યક્તિત્વને ખરેખર સમજવા માટે સુરેશ ત્રિવેણી સાથે સતત ચર્ચાઓમાં વ્યસ્ત રહી.
ભૂમિએ એક ઉદાહરણ આપતા કહ્યું, “જેમ કે જ્યારે રીટા પહેલીવાર કોઈ મૃતદેહ જુએ છે, ત્યારે તે વિચારે છે કે – શું મેં આ કર્યું? શું થઈ રહ્યું છે? મને લાગ્યું કે કદાચ તેને ઉલટી થશે. પરંતુ સુરેશે કહ્યું, ‘ના. તે નહીં કરે,’ કારણ કે તે સૌથી સામાન્ય પ્રતિક્રિયા છે. પછી મેં પૂછ્યું, ‘તો મારે શું કરવું જોઈએ? મારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?'”

ભૂમિ કહે છે કે ‘દલદલ’ ની સફર તેના માટે સર્જનાત્મક રીતે અત્યંત સંતોષકારક હતી. સેટ પર ઘણા નાના પાસાઓ અલગ રીતે ભજવાયા હતા. જ્યારે રીટા તેની માતાને મળે છે, ત્યારે પણ તેની પ્રતિક્રિયા દર વખતે અલગ હોય છે. તેની ભાવનાત્મક શ્રેણી ખૂબ જ મર્યાદિત છે, તેથી મારે તેમાં રહેવું પડ્યું અને સર્જનાત્મક બનવું પડ્યું. શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં, હું થાકી ગઈ હતી – મૌનથી અભિનય કરવો પણ થકવી નાખે છે. પરંતુ જ્યારે કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યારે હું ભાગ્યે જ આટલી ખુશ થઈ છું.”
અમૃત રાજ ગુપ્તા દ્વારા દિગ્દર્શિત અને વિક્રમ મલ્હોત્રા અને સુરેશ ત્રિવેણી દ્વારા નિર્મિત, ‘દલદલ’ એબન્ડેન્ટિયા એન્ટરટેઈનમેન્ટનું નિર્માણ છે. ભૂમિ સતીશ પેડનેકર શ્રેણીમાં ડીસીપી રીટા ફરેરાની ભૂમિકામાં જોવા મળશે. સમારા તિજોરી અને આદિત્ય રાવલ મુખ્ય ભૂમિકાઓમાં છે.


