નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ઉદ્યોગ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આગામી બજેટ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી.ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ ત્યાર બાદ આગામી સમયમાં પ્રથમ બજેટ સત્ર યોજાશે. આ બજેટ સત્ર અગાઉ સરકારના મંત્રીઓ એલર્ટ થયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ઉદ્યોગ અને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આગામી બજેટ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી.

રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણ બાદ રાજ્યમાં નવા મંત્રી મંડળ સાથે આગામી સમયમાં બજેટ સત્ર યોજાશે. આ સત્ર દરમિયાન બજેટમાં નવી બાબતોને સમાવવા અંગે મંત્રીઓ દ્વારા અધિકારીઓ સાથે બેઠકો યોજાઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગૃહ, ઉદ્યોગ, અને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને વર્તમાન તથા આગામી બજેટને લઈને ચર્ચાઓ કરી હતી. આગામી બજેટમાં કઈ નવી બાબતો સમાવી શકાય તે અંગે તેમણે ચર્ચાઓ કરી હતી.


