HomeGujaratGandhinagarGandhinagar : વંદે માતરમ @150 વર્ષની બીજા તબક્કાની ઉજવણી કરાશે, 23...

Gandhinagar : વંદે માતરમ @150 વર્ષની બીજા તબક્કાની ઉજવણી કરાશે, 23 થી 31 માર્ચ 2026 સુધી રાજ્યવ્યાપી મહાઅભિયાન

દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતું અમર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ‘વંદે માતરમ @૧૫૦ વર્ષ’ના બીજા તબક્કામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી તા.૨૩થી ૩૧ માર્ચ,૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે.

જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુને વધુ ઉજાગર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા, નગરપાલિકા,મહાનગરપાલિકા અને ગ્રામીણ સ્તરે વંદે માતરમના સમૂહ ગીતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ,યુવાનો,સરકારી અધિકારીશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની વિશાળ જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

વધુમાં, દેશભક્તિનો સંદેશ વ્યાપક સ્તરે પહોંચે તે હેતુથી વિવિધ સ્થળોએ રેલી,પદયાત્રા અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ-દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત “વંદે માતરમ@૧૫૦વર્ષ ” બીજા તબક્કાના વિવિધ કાર્યક્રમોમાં વધુમાં વધુ યુવાનો- નાગરિકોને ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે સહભાગી થવા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments