જેતપુર : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ કવાયત શરૂ કરાઈ હતી. છેલ્લા ધણા સમયથી પોલીસે ગેરકાયદેસર ધૂસી આવેલ બાંગ્લાદેશી નાગરિકોની તપાસ હાથ ધરી છે.
ભારત સરકારે ભારત દેશમાં ઘુસણખોરી કરતા અન્ય દેશના લોકોને શોધી પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત નહી જનાર ઘુસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપેલ હોય.
રાજકોટ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ એમ.એમ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રીઝવાનભાઈ સિંજાતને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી મહિલા જેતપુર આવનાર છે.
જેતપુર દેરડીધાર આવાસ યોજના ખાતે આવેલ ભાર્ગવ પ્રોસેસ વાળા રોડ ઉપર આ બાંગ્લાદેશી મહિલા આવનાર છે. જે હકીકત આધારે સદરહું હકીકત વાળી જગ્યાએ પોલીસ ટીમ મારફતે તપાસ કરતા પરવીન બેગમ ડો/ઓ હારીઝ મીર, ઉ.વ.-૩૧ રહે. ૫૨૫.૦૪ પુરબો સથેરા એરીયા, થાના-શાટ ગંબુજ, બગેરહાટ સદર ખુલના ડીવીઝન બાંગ્લાદેશ હાલ રહે. અમદાવાદ વાળી ભારતીય ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા વગર મળી આવેલ હોઇ મજકુર મહીલાની પુછપરછ કરતા, પોતે બાંગ્લાદેશી નાગરીક હોવાની અને કોઈ પણ વિઝા કે ભારત સરકારની મંજુરી વગર અહીં આવેલ હોવાનું જણાવેલ હોઇ મજકુર મહીલા પાસેથી બાંગ્લાદેશ સરકારનું જન્મ પ્રમાણપત્રની નકલ મળી આવતા, શંકાસ્પદ બાંગ્લાદેશી મહીલા નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.
આ કાર્યક્રમમાં જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર ડો. એમ.એમ.ઠાકોર તથા એ.એસ.આઇ. સંજયભાઇ પરમાર તથા પો.હેડ કોન્સ. હિતેષભાઇ વરૂ તથા રીઝવાનભાઇ સિંજાત તથા વાસુદેસિંહ જાડેજા તથા પો.કોન્સ. ચેતનભાઈ ઠાકોર દ્વારા ટીમ વર્કથી કરેલ છે.