ડભોઈનું બાણેજ પાણીનું ૧૦૦ % મીટર ધરાવતું મધ્ય ગુજરાતનું એક માત્ર ગામ૨૪ કલાક પાણીનું વિતરણ, છતાં નળને તાળું મારી પાણી બચાવવાનો લોકોનો પ્રયાસ શહેરમાં પાણી વિતરણની વ્યવસ્થામાં જ ખામી હોવાથી પીવાના પાણીનો કાયમી કકળાટ રહે છે ત્યારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશને ડભોઈના ખોબલા જેવડાં બાણેજ ગામ પાસેથી શીખવા જેવુ છે. આ ગામમાં તમામ ૨૨૦ ઘરોમાં પાણીના મીટરો લાગેલા છે. પરંતુ મીટર પ્રમાણે પાણીના રૂપિયા નથી લેવાતા તેમ છતાં ૨૪ કલાક પાણી અપાય છે અને લોકો કરકસરપૂર્વક પાણી વાપરે છે.

પહેલા ઘર દીઠ દૈનિક પાણીનો ૫૦૦ લીટરનો વપરાશ હતો, તે હવે ઘટીને હવે સરેરાશ ૧૫૦ લીટર થઈ ગયો છે. ૧૦૦ ટકા મીટર ધરાવતુ બાણેજ ગામ જિલ્લાનુ જ નહીં પરંતુ મધ્ય ગુજરાતનુ એક માત્ર ગામ છે.બાણેજ ગામમાં ૨૨૦ ઘરો છે અને અંદાજે ૯૦૦ લોકોની વસતી છે. ત્યાં પીવાના પાણીની ૫૦ હજાર લિટરની ઓવરહેડ ટાંકી છે અને ૧ લાખ લિટરની અંડર ગ્રાઉન્ડ ટાંકો છે. તે સિવાય ત્યાં બોરની વ્યવસ્થા છે. ગામના પાદરે ૨૨ વિઘાનું ક્ષેત્રફળ ધરાવતું તળાવ છે, જે ભરઉનાળે પણ ભરેલુ રહે છે. તળાવ સામે નાની ટેકરી છે. ત્યાં પણ ગામના લોકો વસે છે. ટેકરીના કારણે વર્ષ ૨૦૧૭ પૂર્વે પાણી વિતરણની સમસ્યા રહેતી હતી અને પૂરતા પ્રેશરથી પાણી મળતુ ન હતુ.લોકોએ પાણી મેળવવા ઈલેક્ટ્રીક મોટર મૂકવી પડતી હતી. જે તે સમયે પંચાયતની આર્થિક સ્થિતિ કપરી હતી અને ગામમાં પાણી પહોંચાડવા માટે ૫૦ હજાર લિટરની ઓવરહેડ ટાંકી ભરવાટેકરા પર આવેલા મકાનોના ત્રીજા માળ સુધી પાણી ચઢે રૂ.૬૫૦૦ કરોડનુ બજેટ ધરાવતી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન ગ્રાઉન્ડ ફલોરમાં સરખુ પાણી આપી શકતી નથી ત્યારે બાણેજ ગામમાં ટેકરા પર આવેલા ઘરોના ત્રીજા માળ સુધી પાણી ફૂલ પ્રેશરથી મળી રહ્યું છે.

ગામની પાણીની ટાંકીમાં ઓટોમેટિક સિસ્ટમ મૂકાઈ છે. પાણી ખાલી થાય એટલે તુરંત મોટર શરૂ થઇ જાય છે. એના કારણે પહેલા ૧૬થી ૧૮ કલાક પાણીની મોટર શરૂ રહેતી હતી. એ હવે દિવસમાં માત્ર ૬ કલાક જ ચાલું રહે છે. તે પણ ટ્રકડે ટુકડે જરૂરિયાત મુજબ મોટર ચલાવાય છે. હવે મોટર બળી જવાના કિસ્સા ઘટ્યા છે. તેમજ ટેકરા ઉપર આવેલા ઘરના ત્રીજા માળ સુધી પણ પ્રેશર સાથે પાણી ચઢી જાય છે. લોકોએ વ્યક્તિગત મોટર મૂકવી પડતી નથી.શું કહે છે સરપંચ ? I વર્ષ ૨૦૧૭માં ગ્રામ પંચાયતે પાણીવિતરણ વ્યવસ્થાને નવી કરવાનું નક્કી કર્યુ. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા રૂ.૧૧.૨૧ લાખ કિંમતની યોજના મંજુર કરવામાં આવી. જેમાં ૯૦ ટકા રકમ સરકાર દ્વારા તથા ૧૦ ટકા રકમ ગ્રામજનોએ ઘર ઘરથી ઉઘરાવીને લોકફાળા રૂપે રૂ. ૧.૧૨ લાખની રકમ એકઠી કરી હતી. મોનાબેન રાજેશભાઇ બારોટ, સરપંચ પાણી ક્યાંથી મળે છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા નદી કેનાલથી પાણી મેળવી તેને શુદ્ધિકરણ પ્લાટથી શુદ્ધ કરીને ડભોઈ જુથ પાણી પૂરવઠા યોજના હેઠળ ગામના પાણી સંગ્રહના સમ્પમાં આપવામાં આવ્યુ છે. આ સમ્પથી ગામની ૧૨ મીટર ઉચી ટાંકીમાં ચઢાવીને ઘર ઘર નળ દ્વારા પાણી વિતરણ કરાય છે.૧૬થી ૧૮ કલાક મોટર ચલાવવી પડતી હતી અને લાઈટો જાય અથવા મોટર બગડી જાય તો પાણીની ગંભીર સમસ્યા સર્જાતી હતી. રાજ્ય સરકારની સંસ્થા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગામને જલ જીવન મિશન હેઠળ નલ સે જલ યોજનામાંઆવરી લઈને ઘરે ઘરે પાણીના મીટરો બેસાડયા હતાં. દરેક શેરીમાં પાણીની લાઈનો નાખી, પાણી સંગ્રહની ટાંકી રિપેરીંગ, પમ્પ હાઉસ સહિતના કામો કરાયા હતાં. દરેક ઘરને નળનુ જોડાણ આપ્યુ અને દરેક ફળિયામાં પુરતુ પાણી