બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત તિરુપતિ રાજનગર સોસાયટીમાં બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર કાર્યક્રમ અંતર્ગત 100 મહિલાઓ માટે એક દિવસીય કિચન ગાર્ડન તાલીમનું આયોજન કરાયું હતું.આ તાલીમ શિબિરનો ઉદ્દેશ મહિલાઓને ઘરઆંગણે શાકભાજી અને ફળોના ઉત્પાદન, કુદરતી ખાતરની તૈયારીઓ, અને કચરાના પુનઃઉપયોગ પદ્ધતિઓ અંગે જાગૃત કરવા અને તેમને સરકારની બાગાયત વિભાગની યોજનાઓ અંતર્ગત ઉપયોગી માહિતી આપવાનો હતો.આ પ્રસંગે બાગાયત વિભાગના નાયબ નિયામકશ્ર જે.બી. સુથાર, મદદનીશ બાગાયત નિયામક મતી અનન્યાબેન જોષી, તેમજ બાગાયત અધિકારીઓ વેલજીભાઈ દેસાઈ, વિરેન્દ્રભાઈ જોષી, શ્રીમતી રમીલાબેન ચૌધરી અને મતી મકસૂદાબેન મીર હાજર રહ્યા હતા. તિરુપતિ રાજનગર સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય, મંત્રીશ્રી યશવંતસિંહ વાઘેલા, તેમજ કારોબારી સભ્ય શ્રેયશભાઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે.બી. સુથાર દ્વારા બાગાયતી પાકો અને યોજનાઓ અંગે મહિલાઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરેન્દ્રભાઈ જોષીએ કિચન ગાર્ડન અને કેનિંગના ઉપાયો, તથા વેલજીભાઈ દેસાઈએ પ્રાકૃતિક ખેતી અંગે ઉપસ્થિતોને માહિતી આપી હતી.તાલીમ પેટે મહિલાઓને શાકભાજી કીટો તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે માર્ગદર્શિત કરાયા હતા.

લક્ષ્મણ ઠાકોર