પોરબંદર જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ જિલ્લા પરીક્ષા કેન્દ્ર ખાતે યોજાનાર છે આ પરીક્ષાઓ ચોરીઓના દુષણ વગર શાંત અને એખલાસભર્યા વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોરબંદર જિલ્લાના અધિક જિલ્લામેજિસ્ટ્રેટ શ્રી જે.બી.વદર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતી આચ૨વા કોમ્યુનીકેશન થઈ શકે તેવા ઉપકરણો અને પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા સહિતની પ્રવૃતિઓ કરવા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ (૧)(એફ) મુજબ પોરબંદર જિલ્લા ખાતેના પરીક્ષાના નિયત કેન્દ્રોએ પરીક્ષાની તારીખ તથા સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૨૦૦ મીટરનાં વિસ્તારની હદમાં ફોટોસ્ટેટ મશીન દ્રારા- કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, મશીન ધારકોએ તેમના ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી,ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઈલ, કેલ્કયુલેટર, ડિજીટલ વોચ, કોઈપણ પ્રકારના ઈલેકટ્રીકલ, મીકેનીકલ, ઈલેકટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતી આચ૨વા કોમ્યુનીકેશન થઈ શકે એવા કોઈ પણપ્રકારના સાધનો,ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ કરાયો છે.
આ હુકમમાં જેને મુકિત આપવામાં આવી હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી. તેમજ પરીક્ષા જે દિવસે ન હોય તે સમયગાળા દરમ્યાન લાગુ પડશે નહી.ઉલ્લેખનીય છે કે ધોરણ-૧૦ના પરીક્ષાના કેન્દ્રો નવયુગ વિધાલય- પોરબંદર,મ.શ્રી બાલુબા કન્યા વિધાલય – પોરબંદર,શ્રીમતી કે.બી.જોષી કન્યા વિધાલય- છાંયા,
શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ- છાંયા,સેન્ટ જોસેફ સ્કુલ- ખાપટ નિયત કરવામાં આવ્યા છે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ડિવાઇન પબ્લીક સ્કુલ બોખીરા અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે સાંદીપની ઇગ્લીશ મિડીયમ સ્કુલ પોરબંદર કેન્દ્રને નિયત કરવામાં આવ્યું છે.
રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ