અંકલેશ્વર તાલુકા પોલીસે NH 48 પર થયેલી 7.78 લાખની ચોરીના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કિમ વિસ્તારમાં રહેતા જાવેદ ઉસ્માન વ્હોરાને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અગાઉ પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
ગત 19મી મેના રોજ બીલીમોરા નવાપુરા સ્ટ્રીટના રહેવાસી રાજ કલ્પેશ શાહ પત્ની અને પુત્રીને વડોદરા મૂકીને કંપનીના કામ માટે બીલીમોરા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અંકલેશ્વર-સુરત NH 48 પર નવજીવન હોટલથી નૂર લિફ્ટર સુધીના વિસ્તારમાં તેમને ઊંઘનું ઝોકું આવતાં, તેઓ કાર સાઈડમાં પાર્ક કરીને કારમાં સૂઈ ગયા હતા.
આ સમય દરમિયાન અજાણ્યા ઇસમોએ રાજ શાહે પહેરેલા સોનાના ઘરેણાં અને અન્ય માલ સામાન મળી કુલ રૂ.7.78 લાખની ચોરી કરી નાસી ગયા હતા, જેથી રાજ શાહે અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ લખવી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
Reporter : કેતન મહેતા, અંક્લેશ્વર