E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGUJARAT : આવતીકાલે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવારજનો સ્વીકારશે

GUJARAT : આવતીકાલે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવારજનો સ્વીકારશે

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા છે, આ દુર્ઘટનામાં 270થી વધુ લોકો જીવ ગુમાવ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તમામ મૃતકોના મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને મૃતદેહને ઓળખીને તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના DNA મેચ થયા છે અને તેમના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પૂર્વ CM વિજય રૂપાણીનું DNA સેમ્પલ મેચ થયું છે અને 16 જૂને વિજય રૂપાણીના નશ્વરદેહને પરિજન સ્વીકારશે, 11 વાગ્યે પરિજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે અને 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ સ્વીકારશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે નશ્વરદેહને અમદાવાદથી રાજકોટ લઈ જવાશે. 12.30થી 2 વાગ્યાની વચ્ચે હવાઈ માર્ગે વિજય રૂપાણીના નશ્વરદેહને રાજકોટ પહોંચાડાશે. તે પછી 2.30થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી અંતિમ યાત્રા કાઢવામાં આશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે. પૂર્વ મુખ્યપ્રધાનના પુત્ર ઋષભે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન, વડીલો, ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય નાગરિકોનો દુ:ખની ઘડીમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે.

ક્યાં ક્યાં રસ્તા પરથી પસાર થશે વિજય રૂપાણીની અંતિમ યાત્રા

નિર્મલા રોડથી કોટેચા ચોક
કોટેચા ચોકથી કાલાવડ રોડ અંડરબ્રિજ
કાલાવડ રોડથી એસ્ટ્રોન ચોક
એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ
યાજ્ઞિક રોડથી ડી.એચ કોલેજ રોડ
ડી.એચ કૉલેજથી માલવીયા ચોક
માલવીયા ચોકથી કોર્પોરેશન ચોક
કોર્પોરેશન ચોકથી સાંગણવા ચોક
સાંગણવા ચોકથી વિજય રૂપાણીની ઓફિસ ગરેડિયા કૂવા પાસે
વિજય રૂપાણીની ઓફિસથી રાજેશ્રી સિનેમા
રાજેશ્રી સિનેમાથી રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments