E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ઓલપાડની ઘી સોંદલાખારા દૂધ અને શાકભાજી મંડળીની ચૂંટણીનું પરિણામ

GUJARAT : ઓલપાડની ઘી સોંદલાખારા દૂધ અને શાકભાજી મંડળીની ચૂંટણીનું પરિણામ


સહકારી મંડળીના વ્ય.સમિતિની બાકી રહેલ વિભાગ-૬ અને ૧૧ ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે.જે બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા ગીતાબેન કાંતિભાઈ પટેલ અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ,હર્ષદ હરિભાઈ પટેલ ,લખન કાંતિભાઈ પટેલનો પરાજ્ય થયો છે.

મોર અને ભગવા મળી સાત જેટલાં ગામોનું કાર્યક્ષેત્ર ધરાવતી ૧૬૦૩ સભાસદ સંખ્યા ધરાવતી ઘી
સોંદલાખારા દૂધ અને શાકભાજી મંડળીમાં આગામી પાંચ વર્ષની મુદત માટે વ્ય. સમિતિના કુલ ૧૨ વિભાગોની ચૂંટણી જાહેર થઈ હતી.જે ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન મંડળીના ૧૦ વિભાગો બિનહરીફ થયા હતાં.પરંતુ આ મંડળીની નઘોઈ વિભાગની બેઠક નં.૬ અને વિભાગ- ૧૧(મહિલા અનામત સીટ-૨)ઉપર ગીતાબેન કાંતિભાઈ પટેલ ચૂંટણીના રણ મેદાન માં ઉતર્યા હતાં.જેથી આ બંન્ને વિભાગોમાં 'કાંટે કી ટક્કર' વચ્ચે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થતાં
વિભાગ-૬ ની બેઠકના કુલ ૬૫ મતદારોએ કરેલ મતદાનમાંથી એક મત રદ થયો હતો.જયારે ૬૪ મતમાંથી બેઠકના ચાર ઉમેદવારો પૈકી જીતેન્દ્ર દલપત પટેલને ૧૮ મત,સુરેન્દ્ર ઝીણાભાઈ પટેલને ૨૫ મત,હર્ષદ
હરિભાઈ પટેલને ૧૬ મત અને લખન કાંતિભાઈ પટેલને માત્ર ૦૫ મત મળ્યા હતાં.જેથી સુરેન્દ્ર ઝીણાભાઈ પટેલને ૦૭ મતે વિજેતા જાહેર કરાયા હતાં. જયારે સૌથી વધુ હાઈ પ્રોફાઈલ બનેલ નધોઈ વિભાગ-૧૧
(મહિલા અનામત સીટ-૨)પર ગીતાબેન કાંતિભાઈ પટેલની સામે ઓલપાડ તા.ભાજપ સંગઠન મહામંત્રી સુનિલ પટેલની માતા સુમનબેન શાંતિલાલ પટેલ ચૂંટણી લડ્યા હતાં.આ વિભાગના કુલ ૭૭ મતદારોએ કરેલ મતદાનમાંથી ૦૫ મત રદ થયા હતાં. જયારે બાકીના ૭૨ મતમાંથી ગીતાબેન પટેલને માત્ર ૧૮ મત અને સુમનબેન પટેલને ૫૪ મત મળતાં ગીતાબેન પટેલનો ૩૬ મતે પરાજ્ય થતા ચૂંટણી અધિકારીએ સુમનબેન શાંતિલાલ પટેલને વિજેતા ઘોષિત કરી હતી.જો કે દૂધ મંડળીના આ પરિણામની અસર નઘોઈ ગ્રા.પં.ની પેટા ચૂંટણીના પરિણામ ઉપર પણ અસર પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments