E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ગુજરાતની સુખ્યાત અને તદ્દન નિશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ (આરોગ્ય મંદિર)...

GUJARAT : ગુજરાતની સુખ્યાત અને તદ્દન નિશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ (આરોગ્ય મંદિર) હોસ્પિટલનો અનોખો જ પુણ્ય-યજ્ઞ !

રોજના માત્ર રૂપિયા દસનું નાનકડું દાન આપી બહુ મોટું પુણ્ય અને અમૂલ્ય ગૌરવ કમાવાની અદભુતતક !
ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસેક વર્ષથી ” શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ” નામે એક હોસ્પિટલ તદ્દન નિ:શુલ્ક રીતે દર્દી નારાયણની સેવામાં કાર્યરત છે. આ સંસ્થાએ તાજેતરમાં
” જ્યોત સે જ્યોત જગાતે ચલો” નામના એક પુણ્યયજ્ઞનો આરંભ કર્યો છે.

માનવતાના સાદ સમા આ કરુણા અભિયાનમાં માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાય અને દરરોજના માત્ર દસ રૂપિયાના નાનકડા અનુદાન દ્વારા બહુ મોટું પુણ્ય અને બહુમૂલ્ય ગૌરવ કમાવાની અદ્ભૂત તક સંવેદનશીલ જનતા ઝડપી લે એવી સંસ્થાની અપેક્ષા છે.

આજથી લગભગ દસેક વર્ષ પહેલા માનવતાના મૂળ મંત્ર
” સેવા પરમો ધર્મ “ને ચરિતાર્થ કરવા માટે એક સ્વપ્ન સેવાયું. એવી હોસ્પિટલ જ્યાં દર્દીઓ પોતાની નબળી આર્થિક સ્થિતિની ચિંતા કર્યા વિના સાજા થવાની શ્રદ્ધા રોપી શકે.

એ સ્વપ્નને પરિપૂર્ણ કરવાના ભાગરૂપે તારીખ 7 જાન્યુઆરી, 2015ના રોજ વંદનીય પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ અને પ્રેરણાથી સત્ય પ્રેમ અને કરુણાના નિ:સ્વાર્થ ભાવે તદ્દન નિ:શુલ્ક તબીબી સેવા પૂરી પાડવાના એક માત્ર લક્ષ સાથે સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા તદ્દન નિઃશુલ્ક એવી ” શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ” નામની હોસ્પિટલ શરુ કરવામાં આવી.

આ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી. ગાયનેક,ડાયાલિસિસ, પીડિયાટ્રીક, ઓર્થોપિડીક,
ફિઝિ્યોથેરાપી, ડેન્ટિસ્ટ્રી, આંખોની સારવાર જેવા અનેક વિભાગો દર્દીઓને નિશુલ્ક સેવાઓ આપવા માટે સજ્જ છે.
અહીં જટિલ ઓપરેશનથી માંડીને કેન્સરની કેમોફેરાપી સહિત મોટામાં મોટી સર્જરીઓ તેમજ પેથોલોજી ટેસ્ટ વગેરે તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવેછે. હોસ્પિટલ ચલાવવાનો માસિક ખર્ચ 80 ( એંશી ) લાખ રૂપિયા આવે છે.

છેલ્લા એક દાયકામાં 20 લાખથી વધુ દર્દી નારાયણોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો છે.

આ આરોગ્ય સેવાની જ્યોતિમાં આપ પણ આપના સદભાવ રૂપી દાનની જ્યોત પ્રગટાવી શકો છો અને આરોગ્યના વધુ અને વધુ અજવાળાથી સમાજને પ્રકાશિત કરી શકો છો.

પ્રતિ દિવસ ફક્ત અને ફક્ત ₹10 અથવા મહિનાના ₹300 અથવા રોજના ₹10 લેખે વર્ષના રૂપિયા 3600/- દાન આપી “જ્યોતસે જ્યોત જગાતે ચલો “જેવા સંસ્થાના પાવન અભિયાનમાં આપ પણ જોડાઈ શકો છો. રૂપિયા 3600/- એક સાથે અર્પણ કરનાર દાતાને સંસ્થા કરવેરામાં છૂટ આપતું 80- G સર્ટિફિકેટ પણ આપશે.
વધુ વિગત માટે સંસ્થાની વેબસાઈટ www. shree vidhyaguru.org વિઝીટ કરવા સંસ્થાએ વિનંતી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments