શ્રિ સ્વામિનારાયણ મંદિર વડતાલધામમાં રાજ્યમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ (દૃષ્ટિ દિવ્યાંગ) ખેલાડિઓ માટે જુડો ટ્રેનિંગ કેમ્પનું ઉદ્ઘાટન થયું છે.
સેતુ ટ્રસ્ટ (વલ્લભ વિદ્યાનગર), બ્લાઇન્ડ સ્પોર્ટ્સ અસોશિએશન ઓફ ગુજરાત અને શ્રિ સ્વામિનારાયણ મંદિર વડતાલધામના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન, ઇન્ડિયન બ્લાઇન્ડ એન્ડ પેરા જુડો એસોસિએશન અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતનો સહયોગ રહ્યો હતો.
ઉદ્ઘાટન પ્રસંગે પ.પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, શ્યામવલ્લભદાસજી સ્વામી અને સુર્યપ્રકાશદાસજી સ્વામી એ ખેલાડિઓને આશિર્વાદ આપ્યા હતા. એ ઉપરાંત બિપિનચંદ્ર પટેલ, કાંતિભાઇ પરમાર, ચંદુભાઇ ભાટી, નિતિનભાઇ પટેલ, દીપક ગુપ્તા, નરસિંહભાઇ યાદવ, માલચંદભાઇ યોગી, આકાશ ઠાકોર, દીપાલીબેન રાઠી, કલ્પેશ ત્રિવેદી અને જીતુભાઇ રાસધરી એ પણ ઉપસ્થિત રહી હૌસલા વધારો કર્યો હતો.
કેમ્પનું સંચાલન નિસીથભાઇ પંડયા એ કર્યું હતું અને આયોજનમાં શ્રિમતી સુધાબેન પટેલ, નરેન્દ્ર ઉપાધ્યાય, ચિરાગ પટેલ, રાધાબેન પટેલ, વંદન કળથિયા, ક્રિશ પંડ્યા, હાર્દિ ભોઈ, ઉર્વિષા મકવાણા અને આરતી મકવાણા એ સહકાર આપ્યો હતો.
આ એતિહાસિક પહેલ પ્રજ્ઞાચક્ષુ ખેલાડિઓમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી દિશા આપી રહી છે.
REPORTER : નરેશ ગનવાણી નડિયાદ