દિયોદર નવાપુરા ગ્રામ પંચાયત બેઠક પર સમર્થકો સાથે ઉમેદવારે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી
દરેક સભ્યોને સાથે લઈ વિકાસનો પાયો મજબૂત બનાવીશું – અમરાભાઇ ચૌધરી
ભર ઉનાળે દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયતો ની ચૂંટણી ની તારીખ નક્કી થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી નો માહોલ જામ્યો છે જેમાં દિયોદર જાલોઢા ગ્રામ પંચાયત માંથી વિભાજન થયેલ નવાપુરા ગ્રામ પંચાયત બેઠક પર સરપંચ તરીકે અમરાભાઇ ચૌધરીએ તેમના સમર્થકો સાથે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જેમાં સરપંચ ના ઉમેદવાર અમરાભાઇ ચૌધરીએ જણાવેલ કે નવાપુરા ગ્રામ પંચાયત બેઠક પર આજે અમોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં દરેક વોર્ડના ઉમેદવાર સભ્યો ને સાથે રાખી ચૂંટણી લડીશું અને હંમેશા નવાપુરા ગામને વિકાસ તરફ આગળ લઈ જઈશું અમોને પૂરો વિશ્વાસ છે કે મતદારો મારો પર વિશ્વાસ રાખી મને જીતાડશે