જંબુસરના સૂફી સંત સૈયદ સૈયદમીયાં ઉર્ફે ગાંડા બાવાનો સંદલ શરીફ તથા દરગાહ ખાતે પરચમ ચઢાવી હતી. નૂરજહાં કા નૂરે નજર સબ કી આંખ કા તારા, કુતુબુદ્દીન કે ઘર મેં આકે ચમકા, કુતુબ સિતારા યે ગાંડા પીર હમારા. જંબુસરના પવિત્ર સૈયદ કુતુબુદ્દીન હુસેન મિયાં માતા સૈયદાહ નૂરજહાંબીબીના ઘરે સૈયદ સૈયદમીયાં ઉર્ફે પીર રોશન ઝમીર ગાંડા બાવાનો જન્મ થયો હતો. તેઓ સાદગીભર્યું જીવન જીવી એકતા અને ભાઇચારાનો સંદેશ આપેલ, તેઓ ઇસ્લામિક ચાંદ ૧૮ તારીખ ૨૫/૧૨/૧૯૪૫ ના રોજ જન્નત નશીન થયા હતા. જેમનો ઉર્સ મુબારક અસરની નમાજ પછી સંદલ શરીફ જુના કાઝીવાડ ખાતેથી નીકળી નગરના રાજમાર્ગો પર ફરી પરત દરગાહ ખાતે આવી પહોંચી હતી. પરચમ કુશાઈ અને ઇશાની નમાજ બાદ કુર્આનખ્વાની અને સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી અને બીજા દિવસે ઉર્સ શરીફ સાથે સલાતો સલામનો પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો તથા ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાવા, સૈયદ મહંમદ આકીલ બાવા સૈયદ મહંમદ વારિસ ઉર્ફે જાવિદ બાવા, સૈયદ વકીસ બાવા, સહિત યુસુફભાઈ પઠાણ, ધર્મપ્રેમી જનતા હાજર રહ્યા હતા.
REPORTER : કેતન મહેતા, જંબુસર