ડભોઇ નાંદોદી ભાગોળ સ્થિત ખોડિયાર માતા ના મંદિરે 15 મો પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.ડભોઇ રબારી સમાજ દ્વારા આ પાટોત્સવ નું અયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે રબારી સમાજ ના આગેવાનો ચનવાળા ના માનસરોવર બાપુ ,નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાલભાઈ શાહ સામાજિક આગેવાન પરેશભાઈ રબારી ,તથા ધર્મપ્રેમી જનતા ખાસ ઉપસ્થિત રહી માં ખોડિયાર માતા ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ખોડિયાર માતા ના પાટોત્સવ માં હાજર ભાવિક ભક્તો એ મહાપ્રસાદી નો લાભ લીધો હતો.સાથે જ ભુવાજી જયેશભાઇ રબારી દ્વારા ઓપરેશન સિંદૂર માં શહીદ થયેલ જવાનો માટે પ્રાર્થના કરી હતી સાથે દરભાવતી નગરી ના તમામ લોકો ને સુખ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ