E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ નેશનલ હાઇવે થી કુતિયાણાને જોડતા રસ્તા પર...

GUJARAT : ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ નેશનલ હાઇવે થી કુતિયાણાને જોડતા રસ્તા પર રંબલ સ્ટ્રીપ્સ માર્કિંગ મુકવા હાઇવે ઓથોરિટીને પત્ર લખ્યો….

પોરબંદર જીલ્લાના કુતિયાણા ના લોકલાડીલા ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા એ નેશનલ હાઇવે ઓથોરિટી ને પત્ર પાઠવી નેશનલ હાઇવેથી કુતિયાણાને જોડતા રસ્તા પર રમ્બલ સ્ટ્રીપ્સ મર્કિંગ મુકવા ભલામણ કરી છે.

કુતિયાણાના લોકલાડીલા ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા એ નેશનલ હાઇવે ઓથોરિટી ને પત્ર લખી જણાવેલ છે કે નેશનલ હાઇવે થી કુતિયાણાને જોડતા રસ્તા પર અવાનવાર અકસ્માતનો ખતરો જળુંબતો રહે છે. અને અકસ્માતો પણ થતા રહે છે. ત્યારે આવા અકસ્માતો નિવારવા માટે માર્ગ ગતિ અવરોધક (રમ્બલ સ્ટ્રીપ્સ મર્કિંગ) મુકવા મુકવા જરૂરી બન્યા છે.


રાણાવાવ – કુતિયાણાના ધારસભ્ય કાંધલભાઈ જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરિટી ને પત્ર પાઠવી ભલામણ કરેલ કે પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે માં કુતિયાણા ખાતે ઓવરબ્રિજ મંજુર થયેલ છે. જેની કામગીરીની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ કુતિયાણા બાયપાસ પર અવાનવાર અક્સ્માત થાય છે. અને હમણાં જ બે યુવાનો હાઇવે રોડ પરના કુતિયાણાના બાયપાસ કે રોડ પર ગતિ અવરોધક મુકેલ ના હોવાથી આનો ભોગ બની અક્સ્માત થતાં કમકમાટી ભર્યા તેમના મોત નીપજ્યા હતા.

ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવેથી કુતિયાણા શહેર જોડતા બધાજ રોડ પર ગતિ અવરોધક (રમ્બલ સ્ટ્રીપ્સ મર્કિંગ) મુકવા ખાસ ભલામણ કરી છે.

રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments