HomeGujaratGujarat : નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે

Gujarat : નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે

નડિયાદ શહેરના મધ્યમાં આવેલા અને પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા ઐતિહાસિક તલાટી બાગનો ૨૯૨ લાખના ખર્ચે સર્વાંગી વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું આજે વિધિવત્ ખાતમુહૂત કરવામાં આવ્યું છે, જેમાં વોક-વે, સ્પોન્જ ગાર્ડન અને બાળકો માટે પ્લે એરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.

નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તલાટી બાગના નવીનીકરણ માટે લાંબા સમયથી પ્રતિક્ષા કરવામાં આવી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે. રૂપિયા ૨૯૨ લાખના માતબર ખર્ચે આ બાગને નવો ઓપ આપવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જળ સંચયના આધુનિક અભિગમ સાથે સ્પોન્જ ગાર્ડનનો અનોખો કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવશે. આ નવીનીકરણથી શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગના રહીશોને મનોરંજન માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે. ગાર્ડનની અંદર કરવામાં આવનારા આધુનિક ફેરફારોમાં આકર્ષક પોન્ડ અને વિવિધ પ્રકારના પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે. નાગરિકોને સવાર-સાંજ ફરવા માટે સુવિધાયુક્ત વોક-વે તૈયાર કરવામાં આવશે, જ્યારે બેસવા માટે સુશોભિત ગઝેબોનું નિર્માણ કરાશે. ખાસ કરીને નાના બાળકો માટે રમતગમતના સાધનો સાથેનો અદ્યતન પ્લે એરિયા બનાવવામાં આવનાર છે, જેથી બાળકોને સુરક્ષિત વાતાવરણમાં રમવાની તક મળે. આ સુવિધાઓને કારણે તલાટી બાગ આગામી સમયમાં નડિયાદનું મુખ્ય આકર્ર્ષણનું કેન્દ્ર બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments