E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratGUJARAT : નડિયાદમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ રૂ. 1.65 લાખની મત્તા ચોરી કરી...

GUJARAT : નડિયાદમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ રૂ. 1.65 લાખની મત્તા ચોરી કરી ફરાર

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલી સાગર પાર્ક સોસાયટીમાં ચોરીની એક ઘટના પ્રકાશમાં આવી છે. રજનીકાંત સોલંકી નામના વ્યક્તિના ઘરે તસ્કરો સોના-ચાંદીના દાગીનાં અને રોકડ રકમ મળી કુલ રૂ. 1.65 લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, રજનીકાંત સોલંકી લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની તબિયત લથડતા 8 મેના રોજ તેમને અમદાવાદની બાપુનગર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનો તેમના સારવારમાં વ્યસ્ત હોવાથી મકાન ખાલી હતું.
રજનીકાંત સોલંકીના બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેમની મોટી પુત્રી મનીષા હાલ ઘર સંભાળી રહી છે. ઘટનાની રાતે પરિવારના તમામ સભ્યો રજનીકાંતના ભાઈ જયેશકુમારના ઘરે સૂવા ગયા હતા. તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી મકાનના આગળના દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
ઘટનાની જાણ થતા મનીષાબેને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસિટીવી ફૂટેજ તથા શક્ય શંકાસ્પદો અંગે તપાસ શરૂ કરી છે.

Reporter : નરેશ ગનવાણી નડિયાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments