E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGujarat : પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગોથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ...

Gujarat : પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગોથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ

વરસાદી સમયગાળામાં પોરબંદર જિલ્લાના શહેરી વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો તથા ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ આઈ.ઈ.સી. (IEC – માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પોરબંદરના માર્ગદર્શન હેઠળ આ અભિયાન અંતર્ગત સંબંધીત આરોગ્ય કર્મચારીઓ અને ફીલ્ડ સ્ટાફ દ્વારા પોરબંદર જિલ્લાના અર્બન હેલ્થ સેન્ટર શીતલાચોકના વિસ્તારમાં લોકોના ઘરની મુલાકાત લઈ સ્વચ્છતા જાળવવા, પાણી સંગ્રહતી પાત્રોને ઢાંકીને રાખવા, અને મચ્છરોનો ઉપદ્રવ વધે તેવા સ્થાનોનું નિમૂલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

વેક્ટર બોર્ન કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ સર્વે, પોરાનાશક કામગીરી, એબેટની કામગીરી પણ કરવામાં આવી હતી તેમજ પેમ્ફલેટ્સ, બેનરો અને જાહેર સ્થળોએ પોસ્ટરો લગાડીને લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. જાહેર જનતાને તેમની આસપાસના પરિસરમાં પાણીને ભેગુ ન થવા દેવા, ટાંકી, કૂવા વગેરેની નિયમિત સાફસફાઈ કરવા, અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

રિપોર્ટર : વિરમભાઇ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments