E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : પાલનપુર થી વડગામ આવવાના નેશનલ હાઇવે ઉપર તંત્રને ચોમાસામાં જ...

GUJARAT : પાલનપુર થી વડગામ આવવાના નેશનલ હાઇવે ઉપર તંત્રને ચોમાસામાં જ પાણીના નિકાલની કામગીરી યાદ આવી……

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ધનીયાણા ચાર રસ્તાથી વડગામ અંબાજી જવાના નેશનલ હાઇવે ઉપર નજીવા વરસાદ માં જ રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે.નેશનલ હાઇવે તળાવમાં ફેરવાઈ જતું હોય છે જેના કારણે આ રોડ પરથી અંબાજી વડગામ જતાં અનેક વાહનચાલકો ને નેશનલ હાઇવે પર થી પસાર થવું મુશ્કેલ બની જાય છે.દર ચોમાસામાં અને કમોસમી વરસાદી માવઠા માં પણ રોડ પર પાણી ભરાઇ રહેતું હોય છે જેના કારણે અનેક વાહનચાલકો તેમજ આ વિસ્તારમાં આવેલા ગામડાઓના લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.જે બાબતે અનેક વખત મિડીયા કર્મીઓ દ્વારા ફોટાઓ સાથે સમાચાર પ્રસિદ્ધ કરવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ના જવાબદાર અધિકારીઓ ના પેટનું પાણી પણ હાલતું નથી.અને રોડ વચ્ચે ભરાતાં પાણીના કાયમી નિકાલ માટે ની કોઈ જ વ્યવસ્થા કરાતી નથી અત્યારે તો હરહંમેશ ની જે આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસતા તંત્ર ના જવાબદાર અધિકારીઓ દ્વારા ચોમાસું શરૂ થતાં રોડની સાઈડમાં ખાડા ખોદી ને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પરંતુ નેશનલ હાઇવે ઉપર નાળા મુકીને કાયમી ધોરણે નિકાલ ક્યારે કરાશે તેવા સવાલો લોકોમાં થઈ રહ્યા છે.


પાલનપુર થી વડગામ જવાના નેશનલ હાઇવે ૫૮ ઉપર ગત ચોમાસામાં રોડની વચ્ચે ભરાઇ રહેતા પાણીના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે.પરતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બાર માસનો સમય થવા છતાં રોડ વચ્ચે પડેલા ખાડાઓ નું સમાર કામ કરવા ની ફુરસદ પણ મળી નથી.ઠેર ઠેર રોડ વચ્ચે ચાર પાંચ ફુટ લાંબા અને અડધા થી ફુટ જેટલા ઉંડા ખાડા પડ્યા હોવા છતાં નજરે ન આવતા હાઇવે ઓથોરિટી ના જવાબદારો સામે લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે.

  REPORTER : દિપક પુરબિયા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments