આગામી ૨૬/૦૬/૨૦૧૫ ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુઝ અને ઈલીઝીટ ટ્રાફિકિંગ વિરુદ્ધ દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા પોરબંદર ખાતે ભાવસિંહજી નર્સિંગ સ્કૂલ ખાતે ડ્રગ્સ અને માદક પદાર્થોથી થતા નુકસાન અને યુવાધન આવા વ્યસનથી થતું બરબાદ અંગે સ્કૂલની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડવા અંગે એક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તારીખ ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ એમ્બ્યુઝ અને ઈલીઝીટ ટ્રાફિકિંગ વિરુદ્ધ દિવસ મનાવવામાં આવે છે.આ દિવસ આંતરરાષ્ટ્રીય સમાજને માદક દ્રવ્યોથી મુક્ત કરવા અને આ દિશામાં પગલાં લેવા સંયુક્ત રાષ્ટ્રના સંકલ્પનાની અભિવ્યક્તિ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે યુવાનોમાં વધી રહેલા ડ્રગ ના સેવનને રોકવા અને વૈશ્વિક સ્તરે ડ્રગ ના ઉપયોગ અને ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે સમાજમાં જાગૃતિ કેળવવા સારું જાગૃતિ સેમીનારો યોજવા સુચન કરેલ.
જે સુચન અન્વયે આજ રોજ પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે ડ્રગ્સ ના પ્રકાર અંગે અને તેનાથી થતી આડઅસરો સહિતની માહિતી આપવામાં આવી હતી.
તેમજ શાળા કોલેજની આસપાસ કે અન્ય કોઈ જગ્યાએ કે સ્થળે આ પ્રમાણે ડ્રગ્સનું વેચાણ થતું હોય તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો હતો. અને માહિતી આપનાર વ્યક્તિનું નામ અને ઓળખ ગુપ્ત રહેશે તેવી પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી.તેમજ ડ્રગ્સ સામે લડત લડવા અને જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીનીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ સેમિનાર કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર જાડેજાનાઓ તથા જેસીઆઈ સંસ્થાના સ્થાપક લાખણશીભાઈ ગોરાણીયા તથા નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ રીકિંગ પંડ્યા તથા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ ના જવાનો આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ