- સાસરીવાળાઓના ત્રાસ થી જીવન લીલા ટુકા વી
- શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પગલુ ભર્યુ
- આપધાત કરવા દુષ્પેરણ કરતા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
- પતિ , સસરા , સાસુ સામે પોલીસ ફરિયાદ થઈ
- પિયર પક્ષ દ્રારા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના કરોલ ખાતે એક દિકરીની માતાએ સાસરીયા વાળાઓના ત્રાસ ને લઈ ને ગળેફાંસો ખાઇ જીવન લીલા નો અંત આણ્યો તો પિયર પક્ષ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
પ્રાંતિજ ના કરોલ ખાતે રહેતા રાહુલ સિંહ રણજીતસિંહ મકવાણા ના લગ્ન તલોદ ની દીકરી પિન્કીબેન સાથે તા.૪|૨|૨૦૨૦ ના રોજ લગ્ન થયેલ હતા અને પિન્કી બેને દિકરી ને જન્મ આપ્યો હતો અને ત્રણ વર્ષ ની દિકરી ની ઉમર થયા બાદ તેનો પતિ રાહુલ સિંહ મકવાણા તથા સસરા રણજીતસિંહ તેજસિંહ મકવાણા તથા સાસુ હિરાબા રણજીતસિંહ મકવાણા દ્રારા પિન્કી બેન ને ધર ના કામકાજ બાબતે તથા સામાજિક રીત રીવાજો અંગે વાંક કાઢી મહેણા મારી દહેજ ની માંગણી કરી તેમજ દહેજ પેટે ૫૦,૦૦૦ રૂપિયા પિન્કી બેન ના પતિ રાહુલ સિંહ મકવાણા એ સ્વીકારી ત્રણેય જણા પિન્કીબેન ને અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પિન્કીબેન થી ત્રાસ સહન ના થતા તા.૧૬|૬|૨૦૨૫ ના રોજ કરોલ મુકામે પોતાના ધરે ગળેફાંસો ખાઇ જીવન લીલા ટુકાવતા પિન્કીબેન ના પિયર પક્ષ દ્રારા પતિ , સસરા , સાસુ ત્રણેય જણા પિન્કીબેન ને આપધાત કરવા સુધીનુ દુષ્પેરણ કરી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મહાવીર સિંહ કેસરીસિંહ રાઠોડ રહે.તલોદ બસ સ્ટેન્ડ વિસ્તાર તા.તલોદ જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા રાહુલ સિંહ રણજીતસિંહ મકવાણા , રણજીતસિંહ તેજસિંહ મકવાણા , હિરાબા રણજીતસિંહ મકવાણા તમામે-તમામ રહે કરોલ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણેય વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૦૮,૮૫,૩૫૧(૩),૫૪ મુજબ તથા દહેજ પ્રતિબંધ ધારા ની કલમ-૩(૧),૪ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જી.એલ.વાધેલા દ્રારા હાથધરવામા આવી છે