E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે...

Gujarat : યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, અંબાજી ખાતે ગબ્બર પરની રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા બંધ રહેશે. જેમાં 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી રોપ-વે સેવા બંધ રહેશે. જ્યારે 1 માર્ચ 2026થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને તંત્રએ નિર્ણય લીધો છે. જોકે, દર્શનાર્થીઓ ગબ્બરના પગથિયા ચઢીને માતાજીના દર્શન કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments