રાણાવાવ તાલુકાના રાણાવાવના એક તેમજ કંડોરણા ગામના ત્રણ અરજદારો દ્વારા પોતાના કીમતી મોબાઈલ ખોવાયેલાની ફરિયાદ રાણાવાવ પોલિસી સ્ટેશનમાં નોંધાવેલ હતી.ત્યારે રાણાવાવ પોલીસે મોબાઈલ ગુમ થયાના અરજદારોના મોબાઈલ ટેકનિકલ અને CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી મુળ માલિકોને પરત આપી રાણાવાવ પોલીસે પ્રસંશનીય કામગીરી કરેલ છે.
જુનાગઢ રેંજના પોલીસ મહાન નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી/ગુમ થયેલા અરજદારોના મોબાઇલ ફોન સુધી કાઢવા અને મૂળ માલિકોને સોંપવા અંગેની ખાસ સુચના કરવામાં આવે જે સુચના અન્વયે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધુવલ સી. સુતરીયા નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયાનાઓ દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સુચના આપેલ હોય જે અન્વયે રાણાવાવ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખોવાયેલા મોબાઈલના અરજદારો (૧) નિલેશ દેવજીભાઈ ભુવા રહે, રાણા કાંડોરણા તા. રાણાવાવ વાળાનાઓ મોબાઇલ ઓપો કંપનીનો કીમત રૂ.૧૨,૯૯૯ નો તથા અરજદાર (૨) અલ્પાબેન અજયભાઈ મારૂ રહે, રાણાવાવના ઓનો મોબાઇલ વન પ્લસ કીમત રૂ.૧૭, ૦૦૦નો તથા અરજદાર (૩) આવેશ રફીકભાઈ નોતીયાર રહે, રાણાવાવનાઓનો મોબાઇલ રીયલમી કીમત રૂ.૧૩૫૦૦નો તેમજ અરજદાર (૪) મેરામણ ભાઈ ભારવાડીયા રહે, રાણાવાવ નાઓનો મોબાઇલ વિવો કંપનીનો કીમત રૂ.૧૨,૦૦૦નાઓ મોબાઈલ ખોવાય ગયેલા હોય જે કુલ રૂપિયા ૫૫, ૫૦૦ની કિંમતના ૪ માબાઈલ CEIR પોર્ટલની મદદથી રાણાવાવ પોલીસે શોધી કાઢી ”તેરા તુજકો અપર્ણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત સોંપી આપી રાણાવાવ પોલીસે લોકોની મદદ માટે પોલીસ હમેશા તત્પર હોવાનો દાખલો બેસાડ્યો છે.
આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ માં પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી.મોરી તથા પોલીસ હેડ કોસ્ટેબલ બી.જે.દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયત ભાઈ, જયમલ સામતભાઈ તથા કુણાલસિંહ પ્રવિણસિંહ,ભરત કાનાભાઈ દ્વારા કરવામાં આવેલ હતી.
રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ