નડિયાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૧ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં “સંકલ્પથી સિદ્ધિ” કાર્યક્રમો અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. આ અન્વયે નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા ખાસ બેઠક યોજાઈ હતી.
કમલમ કાર્યાલય પર યોજાયેલી આ બેઠકનું અધ્યક્ષસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે કર્યું હતું. જેમાં પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર મનનભાઈ દાણી, જિલ્લા પ્રભારી કુશળસિંહ પઢેરિયા, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, સંજય સિંહ મહિડા, સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, પાલિકા પ્રમુખો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગોપાલભાઈ શાહે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આપ્યું અને “સંકલ્પથી સિદ્ધિ” અભિયાનની રૂપરેખા રજૂ કરી. નયનાબેન પટેલે વડાપ્રધાન મોદીના ૧૧ વર્ષના સુશાસન દરમિયાન ભારતના સર્વાંગી વિકાસની વાત કરી અને ઓપરેશન સિંદૂર જેવા પ્રયાસોને બિરદાવ્યો. મનનભાઈ દાણીએ જણાવ્યું કે ૮મી જૂનથી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો – મીડિયા પરિષદ, પ્રોફેશનલ મીટ, વૃક્ષારોપણ, યોગ દિવસ, જળસંચય અભિયાન, “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” સંદર્ભે 15મી જૂને યોજાનારી સાઇકલોથોન વગેરે યોજવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ પટેલે અને આભારવિધિ કિરણસિંહે કરી હતી.
Reporter : નરેશ ગનવાણી નડિયાદ