E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGujarat : વાગરાની નેરોલેક કંપનીએ પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા ઝુંબેશ ચલાવી, કામદારોમાં...

Gujarat : વાગરાની નેરોલેક કંપનીએ પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા ઝુંબેશ ચલાવી, કામદારોમાં પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નહિ નાંખવાના શપથ લેવડાવ્યા

વાગરાની નેરોલેક કંપનીએ પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા ઝુંબેશ ચલાવી, કામદારોમાં પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નહિ નાંખવાના શપથ લેવડાવ્યા

અરગામા સ્થિત નેરોલેક કંપની દ્વારા પ્લાસ્ટિકના કચરા અંગેની મુહિમ ચલાવવામાં હતી. કામદારોમાં જાગૃતિ લાવવા સાથે પ્લાસ્ટિક ગમે ત્યાં નહિ ફેંકવા ના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિશ્વભરમાં પ્લાસ્ટિક પોલ્યુશન અંગેની ચિંતા કરવા સાથે તેને ઓછું કઈ રીતે કરવું એ માટેની ચળવળ ચલાવવામાં આવી રહી છે.

આ વિષયને ગંભીરતાથી લેતાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે સંદર્ભે અરગામા સ્થિત કંસાઈ નેરોલેક પેન્ટ્સ દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશન ન થાય એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવાના કામદારો પાસે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આ સાથે કંપની આસપાસમાં પ્લાસ્ટિકના કચરાને કામદારોએ એકત્ર કરી સરાહનીય કામગીરી કરી હતી. આ પ્રસંગે યુનિટ હેડ રાજેશ પટેલે કામદારોને જણાવ્યું હતું કે આપણે પ્રદુષણ મુક્ત વાતાવરણ બનાવવા આપણા મગજમાં રહેલા કચરાને દૂર કરવો પડશે. જો આમ કરવામાં આપણે સફળ થઈશું તો પ્લાસ્ટિક પોલ્યુશનને દૂર કરવામાં સરળતા રહેશે. પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સહિત કામદારો જોડાયા હતા.

Reporter : કેતન મહેતા, વાગરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments