સાબરકાંઠા જિલ્લામાં શનિવારે મોડી સાંજે વાવાઝોડું ફૂંકાયું હતું. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ આવેલા વાવાઝોડાએ વાહનચાલકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. હિંમતનગરથી પ્રાંતિજ, શામળાજી, વિજાપુર અને ઇડર રોડ પર વાવાઝોડાને કારણે ધૂળની ડમરીઓ ઊડી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાંદ્વિચક્રીવાહનચાલકોએ થોડા સમય માટેરોડની સાઇડમાં વાહનો પાર્ક કરી દીધા હતા. વાવાઝોડા બાદ હિંમતનગર અને પ્રાંતિજના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જિલ્લા ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં તલોદમાં સૌથી વધુ 27 મિમી વરસાદ નોંધાયો હતો. વડાલીમાં 4 મિમી અને પ્રાંતિજમાં 1 મિમી વરસાદ પડ્યો હતો. તલોદમાં માત્ર બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આઠ તાલુકામાંથી માત્ર વડાલી, પ્રાંતિજ અને તલોદમાં જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો
REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા