શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ના માર્ગદર્શન હેઠળ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ એમ્બ્રોઈડરી વર્ક સાથેના મયૂરપંખની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા.મંદિરના સિંહાસનને ગુલાબ અને શેવંતીના મિક્સ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું,મંદિરના પટાંગણમાં આ નિમિત્તે મારુતિ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ દિવ્ય દર્શનનો હજારો ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી…

Reporter :વિપુલ લુહાર,બોટાદ


