વાઘોડિયા તાલુકાના નું વાઘોડિયા પછીનું વધુ વસ્તી ધરાવતું વેપાર ઉધોગો માં સદાય અગ્રેસર રહેનાર જરોદ ગામમાં હાદૅસમા સ્ટેશન વિસ્તારમાં માત્ર ને માત્ર એક જ સાવૅજનિક શૌચાલય લાખો રૂપિયા ના ખર્ચે જાહેર જનતા ની સગવડો ને ધ્યાને રાખીને બનાવ્યું તો ખરું પણ તેની દેખભાળ વહિવટી તંત્ર દ્વારા ન થતાં આજે આ શૌચાલય માં વ્યસની દેશી વિદેશી દારૂ ગટગટવનાર માટે ખુબ જ સેફ બનતું હોવાથી શૌચાલય માં દેશી વિદેશી દારૂ ની બોટલો અને ખાલી પોટલી ઓ નું સામ્રાજ્ય થતાં ગમે ત્યારે રોગચાળા નું મથક બનશે નો ડર જાહેર જનતા ને સતાવી રહ્યો છે જરોદ ગામ નાં હાટૅસમા બજારો માં ગ્રાહકો દુર દુર થી જરોદ નાં માર્કેટ યાર્ડ પર ભરોસો મૂકી ને ખરીદી કરવા આવતા ગ્રાહકો અને વેપારી વર્ગ આ જ શૌચાલય નો ઉપયોગ કરતા હોય છે ત્યારે મોટા ભાગના લોકો શૌચાલય માં જતા પહેલા મ્હોં પર ફરજિયાત રૂમાલ બાંધીને જવું પડતું હોવાનાં કારણે સૌ કોઇ નો આક્રોશ વહીવટી તંત્ર તરફ ભભુકતો જોવા મળી રહ્યો છે આ શૌચાલય માં ફક્ત ને ફક્ત ઘણા સમયથી માત્ર પેશાબ માટે છે જ્યારે કોઈ પણ કુદરતી હાજતે જવું હોય તો ત્યાં ઘણા લાંબા સમયથી ખંભાતી તાળાં લટકતાં હોવાથી બહાર ગામ થી આવનાર ને ખુલ્લા માં કુદરતી હાજતે જવાની નોબત આવતી હોવાથી તંત્ર ના બેદરકાર ભયૉ વહિવટી તરફ સૌ કોઈ નો આક્રોશ ઉઠવા પામ્યો છે ત્યારે લાગતાં વળગતા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાહેર સાવૅજનિક શૌચાલય તરફ ધ્યાન કેન્દ્રિત કરી જાહેર જનતા ની પ્રાથમિક સગવડો ને સત્વરે યોગ્ય ન્યાય આપી ને સગવડો પુરી પડાય તેમ જાગૃત નાગરિકો ઇચ્છી રહ્યા છે.

કિશન રોહિડા વાઘોડિયા