E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGujrat : ટ્રાફિક પોલીસ દ્વારા પોરબંદર-રાજકોટ હાઇવે પર થતા અક્સ્માત નિવારણ અર્થે...

Gujrat : ટ્રાફિક પોલીસ દ્વારા પોરબંદર-રાજકોટ હાઇવે પર થતા અક્સ્માત નિવારણ અર્થે રિફલેકટર્સ લગાડયા

પોરબંદર રાજકોટ હાઇવે રોડ પસાર થતા વાહનોના અક્સ્માત નિવારણ માટે રાત્રિના સમયે વાહનો પાછળ તેમજ આગળ રિફલેકટર્સ લગાડેલ ન હોય તેથી રાત્રીના સમયે અક્સ્માત થવાનો ભય રહેતો હોય છે ત્યારે પોરબંદર ટ્રાફિક પોલીસ પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ તથા તેમની ટીમ દ્રારા વાહનોમાં રિફલેકટર્સ લગાવવાની કામગીરી કરવામાં આવેલ. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ ને રોડ પર થતાં વાહન અકસ્માત અટકાવવા માટે માર્ગદર્શન આપી કામગીરી કરવા સુચનાઓ કરેલ. જે સૂચના અન્વયે પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે રોડ પરથી પસાર થતા વાહનો, બળદ ગાડાની આગળ રાત્રીના સમયે આગળ પાછળ પાછળ રિફલેકટર્સ લગાડવામાં ન આવ્યા હોવાથી અકસ્માત થવાનો ખતરો હોય છે.

ત્યારે આવા નેશનલ હાઇવે રોડ પર થતા અકસ્માત થી બચવા અને સલામત રહે તેવા શુભ આશયથી અને ફરજના ભાગરૂપે ટ્રાફિક પોલીસના પી.એસ.આઈ કે.બી.ચૌહાણ અને તેની ટીમ દ્વારા પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે રોડ પર પસાર થતા વાહનોમાં રાત્રીના સમયે આગળ પાછળ રિફલેકટર્સ લગાડવામાં આવ્યા હતા. જ્યારે રાત્રીના વાહનો ની સાથો સાથ ખેડૂતો પોતાના ખેતરે ખેતકાંમ કરવા માટે બળદગાડાં લઈ ને નેશનલ હાઇવે રોડ પર અવર જવર કરતા હોય છે. ત્યારે રાત્રીના અંધકાર માં રોડ પર બળદ ગાડામાં લાઈટ નં હોય તેથી રાત્રીના સમયે રોડ પર પસાર થતાં અકસ્માત ની સંભાવના રહેતી હોય છે. ત્યારે પોરબંદર ટ્રાફિક પોલીસ પી એસ. આઈ. કે.બી.ચૌહાણ આવા બળદગાડાની ની પણ કેર લઈ તેમને પણ બળદ ગાડાની ની આગળ અને પાછળ પોતે આગળ આવી ને ખેડૂત અને બળદ ની પણ ખેવના કરી તેઓ ના પણ અકસ્માત થી થતાં જીવ બચાવાની કામગીરી હાથ ધરી બળદ ગાડાંમા પણ આગળ પાછળ રીફલેકટર્સ લગાડી આપ્યા હતા. તેમજ વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવા ગતિ મર્યાદામાં વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો,રોંગ સાઈડમાં વાહન ન ચલાવવુ વિગેરે ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરવા જણાવેલ તથા રાહદારીઓને ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવેલ.

આમ રાત્રીના સમયે થતા અકસ્માત નિવારવાના ભાગ રૂપે પોરબંદર રાજકોટ હાઈવે પર પસાર થતા રિફલેકટર્સ વિનાના વાહનોમાં, બળદ ગાડા માં રિફલેકટર્સ લગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કામગીરી માં પોરબંદર ટ્રાફિક પોલીસ પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ તથા એ.એસ.આઈ. કિરીટભાઈ પરમાર,દિવ્યેશ પટેલ,પો.કોન્સ.સંજય દુર્ગાઈ, ડ્રા.ભાવેશ વિકમા,મયુર બાલશ તથા ટી.આર.બી.કુલદિપ સરવૈયા,રમેશ કેશવાલા દ્રારા કરવામાં આવેલ હતી.

રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments