વિરાટ કોહલીએ 9 વર્ષ સુધી RCB ટીમની કપ્તાની કર્યા બાદ વર્ષ 2021માં ટીમનું કેપ્ટન પદ છોડ્યુ હતુ. હવે આ મામલે વિરાટે ખુલાસો કર્યો છે. અને પોતાનું કારણ જણાવ્યુ છે. RCB ટીમ હાલ આઇપીએલમાં ધૂમ મચાવી રહી છે. અને ટીમની કપ્તાની રજત પાટીદાર કરી રહ્યા છે. RCB ટીમના ફેન્સ ઇચ્છી રહ્યા છે કે, પોતાની શાનદાર પ્રદર્શનથી ટીમ આ વર્ષે આઇપીએલ-2025ની ટ્રોફી પોતાના નામે કરે. પરંતુ આ બધાની વચ્ચે વિરાટ કોહલીનું એક નિવેદન વાયરલ થયુ છે.
કેમ છોડ્યો કપ્તાનનો પદભાર?
RCBના એક પોડકાસ્ટ દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યુ હતુ કે, એક સમયે, મારા માટે તે ખરેખર મુશ્કેલ બની ગયું હતુ. કારણ કે મારી કારકિર્દીમાં ઘણું બધું થઈ રહ્યું હતું. હું 7-8 વર્ષ સુધી ભારતનું નેતૃત્વ કરી રહ્યો હતો અને RCB ટીમનો નું 9 વર્ષ સુધી કપ્તાન રહ્યો હતો. મેં જે પણ મેચ રમી હતી તેમાં બેટિંગના દ્રષ્ટિકોણથી મારી પાસેથી અપેક્ષાઓ હતી. મને ક્યારેય એવું લાગ્યું નહીં કે ધ્યાન મારા પરથી હટી ગયું છે. જો તે કેપ્ટનશીપ ન હોત, તો તે બેટિંગ હતી. હું હંમેશા એવી પરિસ્થિતિમાં રહેતો હતો જ્યાં હું વિચારતો હતો કે, મારે શું કરવું જોઈએ? વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યુ હતુ કે, મારા માટે તે ખૂબ જ મુશ્કેલ બની ગયું. તેથી મેં રાજીનામું આપ્યું કારણ કે મને લાગ્યું કે જો મેં નક્કી કર્યું છે કે હું આ સ્થાને રહેવા માંગુ છું, તો મારે ખુશ થવું જોઈએ. મને મારા જીવનમાં એક એવા સ્થાનની જરૂર છે. જ્યાં હું આવીને મારું ક્રિકેટ રમી શકું, કોઈ મને જજ કર્યા વિના અથવા ‘આ સિઝનમાં તે શું કરશે?’ એમ જોયા વિના.
વિરાટ કોહલી છે ઓરેન્જ કેપ ધારક
વિરાટ કોહલી માટે સીઝન-18 હમણા સુધી શાનદાર રહી છે. 11 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ કોહલી હમણા સુધી 505 રન ફટકારી ચુક્યા છે. આ સિવાય કોહલી પાસે ઓરેન્જ કેપ પણ છે. તો આ ઉપરાંત કિંગ કોહલી આઇપીએલની આ સીઝનમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી પણ બન્યા છે. તેઓએ 7 અડધી સદી ફટકારી છે.