આ કારણથી મુસાફરોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી ટ્રેન પોતાના સ્થળ પર જ રોકાઈ ગઈ છે. આ દુર્ઘટના લગભગ સવારે 9.38 વાગ્યે થયું છે.ઝારખંડના જસીડીહ-મધુપુર રેલવે સ્ટેશન પર ગુરૂવારે સવારે એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટના રોહિણી-નાવાડીહ રેલવે ફાટકની પાસે બની છે. મળતી માહિતી મુજબ ડાઉન લાઈન પર ગોંડાથી આસનસોલ જઈ રહેલી ટ્રેન નંબર 13510 ગોંડા-આસનસોલ એક્સપ્રેસે ચોખા ભરેલી એક ટ્રેક સાથે જોરદાર ટક્કર થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ ટ્રકનો નંબર જેએચ-15-એક્સ-8874 છે. ટક્કર એટલી ખતરનાક હતી કે રેલવે ટ્રેકની આસપાસ થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ અને દુર્ઘટના બાદ તાત્કાલિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડાઉન લાઈન અને અપ લાઈન બંને પર ટ્રેનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કારણથી મુસાફરોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી ટ્રેન પોતાના સ્થળ પર જ રોકાઈ ગઈ છે. આ દુર્ઘટના લગભગ સવારે 9.38 વાગ્યે થયું છે. સૂચના મળતા જ રેલવે અધિકારી અને કર્મચારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિને સંભાળવાની શરૂ કરી.

લગભગ એક કલાકથી વધારે સમય સુધી રેલવે ટ્રાફિક પ્રભાવિત થયો. ત્યારબાદ સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થવા લાગી. સવારે લગભગ 10.55 વાગ્યે અપ લાઈનને બીજી વખત શરૂ કરી દીધી. ત્યારબાદ આસનસોલ-ઝાઝા પેસેન્જર ટ્રેન સુરક્ષિત રીતે પસાર થઈ. હાલમાં આ રેલવે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે અને સ્થાનિક તંત્રની ટીમ સ્થળ પર હાજર રહી અને ટ્રેકને શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે કામ હાથ ધરવામાં આવ્યું.


