E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratJunagadh : સોમનાથ સ્વાભિમાન પર્વ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનું કેશોદ...

Junagadh : સોમનાથ સ્વાભિમાન પર્વ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનું કેશોદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સોમનાથ ખાતે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા માટે પધાર્યા છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સોમનાથ ખાતે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા માટે પધાર્યા છે.મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી જ્યારે કેશોદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉમળકાભેર આવકાર્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રના વડાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત વિધિમાં જિલ્લાના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને આસિસ્ટન્ટ કલેકટર વંદના મીણા.

મુખ્યમંત્રી આ મુલાકાત દરમિયાન સોમનાથ મંદિર ખાતે આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે. આ કાર્યક્રમ સોમનાથના ઐતિહાસિક વારસા અને ભવ્યતાને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર સ્વાગત બાદ મુખ્યમંત્રીશ્રીનો કાફલો સોમનાથ જવા રવાના થયો હતો, જ્યાં તેઓ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments