E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeBollywoodKedarnath Helicopter Crash: 'માનવ જીવનનું કોઈ મૂલ્ય નહીં…',આ સિંગર ગુસ્સાથી થયો લાલધૂમ

Kedarnath Helicopter Crash: ‘માનવ જીવનનું કોઈ મૂલ્ય નહીં…’,આ સિંગર ગુસ્સાથી થયો લાલધૂમ

ગુજરાતના અમદાવાદમાં થયેલા અકસ્માતમાંથી લોકો હજુ બહાર આવ્યા ન હતા ત્યારે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ આજે સવારે ઉત્તરાખંડના ગૌરીકુંડ પાસે વધુ એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ઉત્તરાખંડ વહીવટીતંત્રે પણ તપાસના આદેશ આપ્યા છે..

હેલિકોપ્ટર દુર્ઘટના પર બીલીવુડ સિંગર રાહુલ વૈદ્યની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં રાહુલ વૈદ્યએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ન હતી પરંતુ તેઓ ગુસ્સામાં ફાટી નીકળ્યા હતા. રાહુલ વૈદ્યએ આ મામલે ગુસ્સે ભરાયેલી પ્રતિક્રિયા આપી છે અને સોશિયલ મીડિયા પર નિશાન સાધ્યું છે.

રાહુલ વૈદ્યે પોતાની પહેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જ્યાં સુધી આપણા દેશમાં કેટલાક જીવ ન જાય ત્યાં સુધી નવા નિયમો બદલાતા નથી, આપણા દેશમાં માનવ જીવનનું કોઈ મૂલ્ય નથી. ત્યાર બાદ રાહુલ વૈદ્યે આ બાબતે દુઃખ વ્યક્ત કરતો તૂટેલા હૃદયનો ઇમોજી પણ શેર કર્યો છે. ત્યાર બાદ રાહુલ વૈદ્યેનો ગુસ્સો ઓછો થયો નહીં અને તેમણે આ બાબતે નારાજગી વ્યક્ત કરતી બીજી પોસ્ટ શેર કરી હતી. રાહુલ વૈદ્યે પોતાની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે, 2 મહિનામાં આ પાંચમા અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.

સિંગરે વધુમાં લખ્યું હતું કે, ‘કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ દર મહિનાની ઘટના બની ગઈ છે. આ ખૂબ જ વધારે છે. શું કોઈ રેગ્યુલેટર છે કે કોઈ રેન્ડમ જોકર્સ ટેબલ પર બેઠા છે?’ હવે રાહુલ વૈદ્યએ આ અકસ્માતો અંગે મોટો સવાલ ઉઠાવ્યો છે. એક પછી એક ઘટનાઓ બનતા રાહુલ વૈદ્ય શાંત રહી શક્યો નહીં એન્ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આજે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં દેશમાં શોકની લહેર જોવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments