નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP અજિત પવાર જૂથના તમામ સાત ધારાસભ્યો શનિવારે શાસક NDPPમાં જોડાયા, જેનાથી મુખ્યમંત્રી નેફ્યુ રિયોના નેતૃત્વ હેઠળની પાર્ટીને 60 સભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી. આ વિલીનીકરણ સાથે રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ ગઈ છે.

મહત્વનું છેકે શરદ પવારની પાર્ટી એનસીપીમાં ભાગલા પડ્યા પછી નાગાલેન્ડ યુનિટે અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને ટેકો આપ્યો હતો. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને તેના સાથી ભાજપ પછી એનસીપી રાજ્યમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, તેણે 12 બેઠકો જીતી.ત્યારે વિધાનસભા અધ્યક્ષ શેરિંગેન લોંગકુમેર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, તમામ સાત ધારાસભ્યો રૂબરૂ હાજર થયા અને એનડીપીપીમાં ભળી જવાના નિર્ણયને દર્શાવતા ઔપચારિક પત્રો સુપરત કર્યા. તેમણે જણાવ્યું કે, ‘આ વિલીનીકરણ બંધારણની 10મી અનુસૂચિ હેઠળ બંધારણીય આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.