છેલ્લા 5 વર્ષમાં 13 હજાર બાળકો ગાયબ થવાનું રહસ્ય વધુ ઘેરાઇ રહ્યુ છે. ત્યારે આ રહસ્ય પાછળ શું કારણ છે. તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020થી લઇને વર્ષ 2024ની વચ્ચે 12 હજાર 790 બાળકોના અપહરણના મામલાઓ સામે આવ્યા હતા. જોકે પોલીસના જણાવ્યા અનુસાર સૌથી વધુ અપહરણના કેસ બેંગ્લુરુના નોંધાયા છે. પોલીસે આ મામલે વધુ કડક તપાસ હાથ ધરી છે.
કર્ણાટકમાંથી એક ચોંકવનારી ખબર સામે આવી રહી છે. અહીં બાળકોના અપહરણના મામલા તેજીથી વધી રહ્યા છે. બાળકોના અપહરણ બાદ તેમની સાથે શું કરવામાં આવે છે. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અહીં ક્રાઇમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. બાળકોના ગાયબ થવાના આંકડા એટલા છે કે તેને જાહેર કરતા જ હોબાળો મચી શકે છે. અને કાયદા તથા સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરી શકાય છે. 5 વર્ષમાં 13 હજાર બાળકોનું ગાયબ થવું એ સરકાર અને પોલીસ માટે પડકારરૂપ બન્યુ છે. પોલીસે કેટલા કેસનું નિવારણ કર્યુ છે. તે પણ એક પ્રશ્ન છે. હમણા સુધી આ અપહરણ મામલે કોઇ સચોટ કારણ સામે આવ્યુ નથી.
અપહરણ કરાયેલા બાળકોની યાદીમાં સૌથી વધુ બાળકીઓની સંખ્યા છે. જે ચિંતાનું મુખ્ય કારણ છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યુ છે કે બાળકો રોજિંદી પ્રવૃત્તિ દરમિયાન જ ગાયબ કરવામાં આવ્યા છે. કોઇ બાળક શાળાએ ગયુ તો પરત ન ફર્યુ, કોઇ બાળક ટ્યુશન ગયુ તો પરત ન ફર્યુ, અમુક બાળકો રમતા-રમતા જ ગાયબ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ તમામ કેસમાં માતા-પિતાની ચિંતા વધી છે. અને પોલીસ સામે તપાસ કરવા માટે જોર આપવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં સૌથી વધુ અપહરણના કિસ્સા તુમકુરુ, શિવમોગ્ગા, મંડ્યા, દાવનગેરે, હસન, ચિત્રદુર્ગા અને મૈસુરમાં જોવા મળ્યા છે. અહીંથી સૌથી વધુ બાળકોના અપહરણ કરવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ મામલે વધુ ચિંતિત બની છે. તેના માટે સ્પેશલ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યુ છે. બાળકોના અપહરણ મામલે માનવ તસ્કરી, બાળ મજૂરી, દેહ વ્યાપાર, અંગ વ્યાપાર અને ભીખ માગવાના ગુનાઓ સામે આવી શકે છે. પોલીસે આ તમામ મામલે તપાસ હાથ ધરી છે.