ઉનાળાની ગરમીમાં લોકો મોટાભાગે ઉત્તર ભારતના કુલુ, મનાલી, શિમલા જેવા સ્થળોએ પ્રવાસ કરતાં હોય છે. તાજેતરમાં જ નાગપુરનો એક પરિવાર મનાલી ફરવા ગયો હતો, જ્યાં ઝિપલાઈનિંગ દરમિયાન તેમની દિકરી સાથે દુખદ ઘટના બની છે. હકીકતમાં ઝિપલાઈનિંગ દરમિયાન કેબલ તૂટી પડતાં મનાલી ફરવા ગયેલા પરિવારની દિકરી 30 ફુટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. જેથી તેના પગે ફેક્ચર થયું હતું.
નાગપુરના રહેવાસી પ્રફુલ્લ બિજવે તેમની પત્ની અને પુત્રી ત્રિશા સાથે મનાલી ગયા હતા. જ્યાં તેણે ઝિપલાઈન દરમિયાન કેબલ તૂટી જતાં 30 ફુટ ઊંડાં ખાડામાં પટકાઈ હતી, જેથી તેના પગે ફેક્ચર થયું હતું. પરિવારે આરોપ લગાવ્યો છે કે, ઝિપલાઈનિંગ સાઈટ પર સુરક્ષા વ્યવસ્થા પુરતા પ્રમાણમાં નહોતી અને દુર્ઘટના બાદ પણ કોઈ પ્રકારની સુવિધા નહોતી મળી. ઘટના બાદ ત્રિશાને પ્રાથમિક સારવાર માટે પહેલા મનાલીમાં લઈ જવામાં આવી હતી અને એ પછી ચંડીગઢમાં સારવાર આપવામાં આવી હતી.
જો કે, તે પછી ત્રિશાને નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રિશા ઝિપલાઈનિંગ કરતી જોવા મળી રહી છે. જ્યારે અડધે રસ્તે પહોંચી તો દોરડાનું હુક તૂટી ગયું હતું અને ત્રિશા નીચે પડી ગઈ હતી.
ત્રિશાના પિતાએ જણાવ્યું કે, દિકરીની હાલત સ્થિર છે. પરિવારના એક વ્યક્તિએ માહિતી આપતાં કહ્યું કે, ત્રિશાને ઘણી જગ્યાએ ફેક્ચર થયું છે. હાલમાં તેની સર્જરી ચાલી રહી છે. તે તેના પરિવાર સાથે નાગપુરમાં વેકેશન ગાળવા માટે આવી હતી