પ્લેન ક્રેશ થાય ત્યારે પ્લેન માં ગોઠવેલું બ્લેક બોક્ષ એવુ ઉપકરણ છે જે અકસ્માત પછી અકસ્માત કંઈ ખામીથી કેવી રીતે થયો એનો સઘળો ડેટા બ્લેક બોક્ષ પાસેથી મળી આવે છે. જાણીએ આજે આ બ્લેક બોક્ષ ની કામગીરી વિશે ની વૈજ્ઞાનિક માહિતી.
બ્લેક બોક્સની ટેકનિકલ અને વૈજ્ઞાનિક માહિતી ઉપરાંત બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 (અમદાવાદ-લંડન) ક્રેશ (12 જૂન, 2025) સંબંધિત વધુ વિગતો અને બ્લેક બોક્સમાંથી મળેલી માહિતી નીચે રજૂ કરવામાં આવી છે.
બ્લેક બોક્સ, જે ખરેખર નારંગી રંગનું હોય છે, બે મુખ્ય ઉપકરણોનું સંયોજન છે: ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વૉઇસ રેકોર્ડર (CVR). આ ઉપકરણો વિમાનના ક્રેશની તપાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. નીચે તેની વધુ ટેકનિકલ વિગતો આપવામાં આવી છે.

- ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR)
ડેટા રેકોર્ડિંગ: FDR 88થી વધુ પરિમાણોને રેકોર્ડ કરે છે, જેમાં શામેલ છે.
આનાથી વિમાનની ઝડપ (એરસ્પીડ અને ગ્રાઉન્ડ સ્પીડ),
ઊંચાઈ (બેરોમેટ્રિક અને રેડિયો ઍલ્ટિટ્યૂડ),હેડિંગ (દિશા)
એન્જિન પર્ફોર્મન્સ (RPM, થ્રસ્ટ, ફ્યૂઅલ ફ્લો),ફ્લાઇટ કંટ્રોલ સરફેસની સ્થિતિ (ફ્લૅપ્સ, રડર, એલેવોન્સ),સિસ્ટમ ચેતવણીઓ (જેમ કે એન્જિન ફેલ્યોર, લો ઍલ્ટિટ્યૂડ વૉર્નિંગ)જેવી માહિતી મળી શકે છે.
બ્લેક બોક્ષ માં ડેટા સોલિડ-સ્ટેટ મેમરીમાં સ્ટોર થાય છે, જે ફ્લેશ મેમરીની જેમ હોય છે અને ડેટાને ક્રેશ દરમિયાન સુરક્ષિત રાખે છે.
અવધિ જોઈએ તો FDR સામાન્ય રીતે છેલ્લા 25 કલાકનો ડેટા સ્ટોર કરે છે. જૂનો ડેટા ઓવરરાઇટ થઈ જાય છે.
બ્લેક બોક્ષ ક્યાં હોય છે? FDR વિમાનના પૂંછડીના ભાગમાં સ્થાપિત હોય છે, કારણ કે આ ભાગ ક્રેશ દરમિયાન ઓછો નુકસાન થવાની શક્યતા ધરાવે છે.
જયારે કોકપિટ વૉઇસ રેકોર્ડર (CVR)ઑડિયો રેકોર્ડિંગ CVR નીચેની વિગતો રેકોર્ડ કરે છે. જેમકે
પાઇલટ્સની જે વાતચીતથઈ હોય
એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનું રેડિયો કોમ્યુનિકેશન,કોકપિટના આસપાસના અવાજો (જેમ કે એન્જિનનો અવાજ, ચેતવણીના એલાર્મ, વિમાનની યાંત્રિક હિલચાલ) આ બધું રેકોર્ડ થાયછે.આધુનિક CVR 2 કલાકથી 25 કલાક સુધીનો ઑડિયો સ્ટોર કરી શકે છે. જૂનો ઑડિયો ઓવરરાઇટ થઈ જાય છે.
એમાં CVR બહુવિધ માઇક્રોફોન ધરાવે છે, જેમાં કોકપિટ એરિયા માઇક્રોફોન અને પાઇલટના હેડસેટનો સમાવેશ થાય છે.
CVR નો ઑડિયો પાઇલટની માનસિક સ્થિતિ, નિર્ણય લેવાની પ્રક્રિયા, અને કટોકટીની પરિસ્થિતિમાં તેમની પ્રતિક્રિયાઓને સમજવામાં મદદ કરે છે.
બ્લેક બોક્સ સ્ટેનલેસ સ્ટીલ અથવા ટાઇટેનિયમના બનેલા હોય છે, જે થર્મલ ઇન્સ્યુલેશન લેયરથી આવરિત હોય છે.તે 1,100°C સુધીની ગરમીમાં 30-60 મિનિટ સુધી ટકી શકે છે. એનું
દબાણ જોઈએ તો 14,000 ફીટ (4,300 મીટર) ઊંડા પાણીના દબાણને સહન કરી શકે છે. અને 3,400 G (ગુરુત્વાકર્ષણ બળ) સુધીના આઘાતને ટકાવી શકે. છે.
જો પ્લેન દરિયામાં ખાબકે તો અન્ડરવોટર લોકેટર બીકન (ULB) પાણીમાં ડૂબેલું હોય તો 37.5 kHz ફ્રીક્વન્સી પર સિગ્નલ મોકલે છે, જે 30-90 દિવસ સુધી સક્રિય રહે છે.
પ્લેન ક્રેશ થયા પછી બ્લેક બોક્ષ શોધવા માં આવે છે. એ માટે ડેટા રિકવરી પ્રક્રિયા શરૂ કરાય છે.ક્રેશ સાઇટ પર બ્લેક બોક્સ શોધવા માટે રેસ્ક્યૂ ટીમો અને ખાસ સાધનો (જેમ કે સોનાર)નો ઉપયોગ થાય છે.બ્લેક બોક્ષ મળે પછી એનું
પ્રોસેસિંગ. શરૂ થાય છે.બ્લેક બોક્સ મળ્યા પછી, તેને લેબોરેટરીમાં લઈ જવાય છે. જો તે પાણીમાં ડૂબેલું હોય, તો કાટ દૂર કરવા અને ડેટા સુરક્ષિત રાખવા માટે ખાસ પ્રક્રિયા અપનાવવામાં આવે છે.ત્યાર પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે
FDR નો ડેટા ગ્રાફ અને ટાઇમલાઇન આધારિત વિશ્લેષણ માટે કમ્પ્યૂટર સોફ્ટવેરમાં ટ્રાન્સફર થાય છે. CVR નો ઑડિયો ટ્રાન્સક્રિપ્ટ કરવામાં આવે છે અને એન્જિનિયરો દ્વારા તેનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે.
ડેટા ડીકોડિંગ અને વિશ્લેષણમાં સામાન્ય રીતે અઠવાડિયાથી મહિનાઓ લાગી શકે છે, આ બ્લેક બોક્સની સ્થિતિ અને ડેટાની જટિલતા પર આધાર રાખે છે.
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર અને ફ્લાઇટ AI171 ક્રેશની વિગતો
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એ બોઇંગનું આધુનિક, લાંબા અંતરનું, વાઇડ-બોડી વિમાન છે, જે 2011માં કોમર્શિયલ સેવામાં આવ્યું હતું. ફ્લાઇટ AI171, જે અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહી હતી, 12 જૂન, 2025ના રોજ ટેકઑફની થોડી ક્ષણો બાદ મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી. આ ઘટના બોઇંગ 787-8ડ્રીમલાઇનરનો પ્રથમ ઘાતક ક્રેશ હતો.
ક્રેશની મુખ્ય વિગતો જોઈએ તો
બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, રજિસ્ટ્રેશન VT-ANB, સીરિયલ નંબર 36279, 2014માં એર ઇન્ડિયાને ડિલિવર કરાયું હતું.
ફ્લાઇટ AI171 એ 12 જૂન, 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે (IST) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે 23 પરથી ટેકઑફ કર્યું હતું.અનેટેકઑફની લગભગ 30 સેકન્ડ બાદ, વિમાન માત્ર 625 ફીટ (190 મીટર)ની ઊંચાઈએ પહોંચ્યું અને મેઘાણી નગરમાં BJ મેડિકલ કૉલેજના હૉસ્ટેલમાં ધડાકાભેર ક્રેશ થયું, જેના કારણે મોટો વિસ્ફોટ થયો.જેમાં242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી 241ના મોત થયા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ઉપરાંત, જમીન પર ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા, જેનો કુલ મૃત્યુઆંક 269 થયો.જેમાં વિશ્વાસ કુમાર રમેશ (38), બ્રિટિશ નાગરિક, સીટ 11A (ઇમરજન્સી એક્ઝિટ પાસે) બેઠેલો હતો, તે એકમાત્ર બચેલો હતો.
મેડે કૉલ: ટેકઑફ પછી તરત જ કોકપિટે મેડે (MAYDAY) ડિસ્ટ્રેસ કૉલ જારી કર્યો, પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો.
સંભવિત કારણો (પ્રારંભિક અનુમાન)એન્જિન ફેલ્યોર:
કેટલાક નિષ્ણાતોએ બે એન્જિનોની નિષ્ફળતાની શક્યતા વ્યક્ત કરી છે, જે અત્યંત દુર્લભ છે.કદાચ
બર્ડ સ્ટ્રાઇકની ઘટના પણ હોઈ શકે અમદાવાદ એરપોર્ટ પક્ષીઓની સમસ્યા માટે જાણીતું છે. ગુજરાતમાં 2018-2023 દરમિયાન 462 બર્ડ સ્ટ્રાઇકના કેસ નોંધાયા હતા, જેમાં મોટા ભાગના અમદાવાદ એરપોર્ટ પર થયા હતા.
જોકે CCTV ફૂટેજમાં વિમાનનું નોઝ ઉપરની તરફ હતું, પરંતુ તે ઊંચાઈ ન લઈ શક્યું, જે ફ્લૅપ્સની ખોટી સેટિંગ અથવા નિષ્ફળતા સૂચવે છે. જો કે, બોઇંગ 787ની ટેકઑફ કન્ફિગરેશન વૉર્નિંગ સિસ્ટમ આવી ભૂલને ચેતવણી આપે છે.
વીડિયોમાં લેન્ડિંગ ગિયર નીચે રહેલું જોવા મળ્યું, જે ટેકઑફ દરમિયાન અસામાન્ય છે.કદાચ
મેન્યુફેક્ચરિંગ ખામી. પણ હોઈ શકે.2024માં બોઇંગના વ્હિસલબ્લોઅરે ડ્રીમલાઇનરના ફ્યૂઝલેજની ખામીઓનો આરોપ લગાવ્યો હતો, પરંતુ બોઇંગે તેને નકારી હતી.વિમાનમાં 100 ટન ફ્યૂઅલ હતું, જે લંડનની લાંબી ફ્લાઇટ માટે સામાન્ય હતું, પરંતુ ક્રેશ દરમિયાન આગની તીવ્રતા વધારીહતી જેને241 મુસાફરો કારણે આગમાં ભડથુંથઈ ગયા.
લેખક:દીપક જગતાપ