આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબાર અને સંકુલના 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે, જેની પહેલી તસવીર સામે આવી છે. રામ દરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. આ પ્રસંગે રામ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજારો ભક્તો અયોધ્યામાં ઊમટી પડ્યા છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં પ્રતિષ્ઠાપન વિધિ કરાઈ હતી.
પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં કરવામાં આવશે. આ પૂજા 17 મિનિટના ખાસ સમયગાળામાં એટલે કે સવારે 11:45થી બપોરે 12:45 વાગ્યા સુધી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે અભિજીત મુહૂર્ત દિવસનો સૌથી શુભ અને પવિત્ર સમય છે. તેથી આ સમયગાળા દરમિયાન રામ દરબાર અને ઉપમંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.