ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ જવાનો માટે એક વિશેષ બુકલેટ જાહેર કરી છે. બુટકેટમાં તે ઓપરેશન રૂમની તસવીરો જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્ય સૈન્ય કાર્યવાહી પર દેખરેખ કરાતી હતી. તસવીરોમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ ઓપરેશન પર નજર રાખતા દેખાઈ રહ્યા છે.
ભારતીય સેના (Indian Army)ના કમાન્ડ સેન્ટરના ઓપરેશન રૂમમાંથી ઓપરેશન સિંદૂરની રણનીતિ અને સૈન્ય કાર્યવાહી પર નજર રાખવામાં આવી હતી. ભારતીય સેનાએ બુકટેલ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આ મિશન સંપૂર્ણપણે સંકલિત હતું અને ત્રણેય દળોના ઉચ્ચ અધિકારીઓ દરેક ક્ષણની માહિતી પર નજર રાખી રહ્યા હતા.
સેનાની બુકલેટમાં પહલગામ હુમલા (Pahalgam Terror Attack)ની તસવીરો, હુમલા મામલે સરકારની પ્રતિક્રિયા અને તૈયારીઓ, ઓપરેશન સિંદૂર દ્વારા નષ્ટ કરાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓની તસવીરો સામેલ છે. આ ઉપરાંત ભારતની કાર્યવાહી બાદ મળેલા વૈશ્વિક સમર્થન, મીડિયાની રિપોર્ટિંગ, સરહદ પર તોડી પડાયેલા પાકિસ્તાની ડ્રોનનો કાટમાળ અને સેનાની બહાદુરીની તસવીરો સામેલ છે.