E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaNATIONAL : એક્શનમાં પોલીસ! 5 લાખનો ઇનામી નક્સલી મનીષ યાદવ ઠાર મરાયો

NATIONAL : એક્શનમાં પોલીસ! 5 લાખનો ઇનામી નક્સલી મનીષ યાદવ ઠાર મરાયો

ભારત સરકાર તરફથી દેશભરમાં નક્સલ મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગણા અને ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલ દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. આ બધા વચ્ચે ઝારખંડ, લાતેહાર જિલ્લામાં પોલીસના હાથે એક મોટી સફળતા હાથ લાગી છે. એન્ટી નક્સલવાદ ઓપરેશન હેઠળ પોલીસે 5 લાખના ઇનામી નક્સલને ઠાર માર્યો છે. જ્યારે 10 લાખના ઇનામી નક્સલીની ધરપકડ કરી છે.

જિલ્લાના મહુઆડાંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરમખાડ અને દૌના વચ્ચેના જંગલમાં રવિવારે મોડી રાત્રે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જે સોમવાર સવાર સુધી ચાલુ રહ્યું. આ દરમિયાન પોલીસે એક નક્સલીને ઠાર માર્યો, જે સીપીઆઈ નક્સલી કમાન્ડર મનીષ યાદવ હતો. આ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય પોલીસે કુંદન ખેરવાર નામના એક નક્સલીની ધરપકડ કરી છે જેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચારની પુષ્ટિ પલામુના ડીઆઈજી વાયએસ રમેશે કરી છે.

પલામૂ DIG વાયએસ રમેશે જણાવ્યું કે પોલીસની સૂચના મળી હતી કે મનીષ યાદવ તેના મિત્રો સાથે જંગલમાં ફરી રહ્યો છે. જે બાદ પોલીસની એક ટીમ જંગલમાં નક્સલીઓની ઘેરાબંદી કરી. પોલીસને જોઈને નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર શરૂ કરી દીધો. આ જવાબી કાર્યવાહીમાં ઇનામી નક્સલી મનીષ યાદવ માર્યો ગયો. એન્કાઉન્ટર પછી સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી બે ઓટોમેટિક રાઈફલ પણ જપ્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈચ્છાબાર જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે 5 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો પ્રભાત ગંઝુ અને 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો પપ્પુ લોહારાને ઠાર માર્યા હતા. પપ્પુ લોહારા જેજેએમપીના સુપ્રીમો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments